SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ બંભ ગુત્તિઓ ઃ નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે એ વિષેનું વિવેચન ત્રીજા આચાર્યજીના પ્રકરણમાં વિસ્તારથી કર્યું છે. નાણાદિતિય : જ્ઞાનાદિ ત્રણ રત્નની સમ્યક્ પ્રકારે આરાધના કરે. (૧) જ્ઞાનથી પ્રત્યેક વસ્તુનું યથાતથ્ય સ્વરૂપ જાણે, (૨) દર્શનથી પ્રત્યેક વસ્તુને યથાતથ્ય શ્રધ્ધ, (૩) ચારિત્રથી ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. તવ : બાર પ્રકારનું તપ કરે. એ બાબતનું વર્ણન આચાર્યજી વિષેના ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી આપેલું છે. કોહો નિગૃહિઇય : ચાર કષાયનો નિગ્રહ કરે. આ પ્રમાણે ૭૦ ગુણ ચરણના થયા. કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના સિત્તેર સિત્તેર ગુણથી ઉપાધ્યાયજી ભગવંત સદા શોભે છે. (જે કામ હંમેશાં કરવામાં આવે તેને ‘ચરણ' કહે છે, અને કારણસર એટલે પ્રયોજન આવ્યે કરવું પડે તેને “કરણ” કહે છે.) ૮ પ્રભાવના ધર્મને ફેલાવવો, દીપાવવો, અને પ્રગટ કરવો તેને “પ્રભાવના” કહે છે. એવી ધર્મ પ્રભાવના આઠ જાતની છે. (૧) પ્રવચન પ્રભાવના ઃ સર્વ શાસ્ત્રમાં પ્રવીણ હોય તીર્થંકરના વચનોને જગજાહેર કરવા તે પ્રવચન પ્રભાવના. (૨) ધર્મકથા પ્રભાવના ઃ ‘કથા’નો ઉલટો અક્ષર થાય છે ‘થાક’. જે કથા ભવોભવનો થાક ઉતારી દે તેને ધર્મકથા કહે છે. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારની કથા કહી છે. તે દરેકનાં ચાર ચાર ભેદ ગણતા ૧૬ પ્રકારની દેશના થાય છે. તે ૧૬ દેશના એટલે ધર્મકથા કરી જૈન મતને દીપાવે. ઘવિજ્ઞા હા પન્નત્તા तं जहा કથા. (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેદની, (૪) નિર્વેદિની. (૧) સાંભળનારના હૃદયમાં જૈનધર્મ આબેહૂબ ઠસી જાય તે આક્ષેપણી (૨) સન્માર્ગ છોડી ઉન્માર્ગે જતો હોય એવાને પાછો સન્માર્ગ પર શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૧૩૯ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy