SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ઉદ્દેશામાં સાધુને સાધ્વીના ઉપાશ્રયમાં જવાનો નિષેધ, ચર્મ લેવાની વિધિ વસ્ત્ર લંગોટ પહેરવાની વિધિ, ગૌચરી કરતી વખતે વસ્ત્ર લેવાની વિધિ, દીક્ષા લેતી વખતે ઉપકરણ લેવાની વિધિ, ચોમાસામાં વસ્ત્ર લેવાનો નિષેધ, નાનામોટાની મર્યાદા, ગૃહસ્થના ઘરમાં ૧૪ કામ કરવાનો નિષેધ, પાટ પાટલા લેવાની વિધિ, બીજા સાધુ આવે ત્યારે મકાનની આજ્ઞા લેવાની વિધિ, વ્યંતરવાળાં અને નધણિયા મકાનમાં રહેવાની વિધિ, સેનાનો પડાવ હોય ત્યાં રહેવાનો નિષેધ અને સવા યોજન આહાર આદિ કલ્પવાની વિધિ બતાવી છે. ચોથા ઉદ્દેશામાં મોટા પ્રાયશ્ચિત્તનો અધિકારી દીક્ષાને અયોગ્ય, સૂત્રજ્ઞાન આપવાનો યોગાયોગ, સાધુ સાધ્વીનું સંઘટ્ટન, પ્રથમ પ્રહરનો આહાર, બે ગાઉ ઉપરનો આહાર, સદોષ આહારનું શું કરવું ? આહાર લેવાની ચોભંગી, બીજા ગચ્છમાં જવાની વિધિ, અન્ય ગચ્છના સાધુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ, મૃતક સાધુને પરઠવવાની વિધિ, કલેશ થાય ત્યારે ખમાવ્યા વિના આહાર કરવાની મના, પરિહાર વિશુધ્ધ ચારિત્રની વિધિ, નદી ઊતરવાની વિધિ અને તૃણના ઘરમાં રહેવાની વિધિ બતાવી છે. પાંચમાં ઉદ્દેશામાં વૈક્રિય સ્ત્રી પુરુષના સંઘટ્ટાનો દોષ, સાધુ-સાધ્વીએ પરસ્પર કલેશોપશમન ક૨વું, સૂર્યોદય અસ્તમાં આહાર લેવાની ચોભંગી, રાત્રિએ ડકારો (ઘચરકો) આવે તો દોષ સાધ્વીનો સાધુથી વિશેષ આચાર, માત્રા ગ્રહણ કરવાનું કારણ પ્રથમ પ્રહરમાં લાવેલું અંતિમ પ્રહ૨માં વાપરવાની મના, સુગંધી દ્રવ્ય શરીરે લગાડવાની મના, પરિહાર વિશુદ્ધિની વૈયાવચ્ચ, સરસ આહાર કરીને તરત તપ ક૨વો એમ કહ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં છ પ્રકારનાં વચન ન બોલે, છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત લે, સાધુ સાધ્વી પરસ્પર સંઘટ્ટન કરવાનું કારણ, છ પ્રકારે પલીમન્થુ અને છ સંયમના કલ્પ બતાવ્યા છે. આ બૃહત્કલ્પ સૂત્રના ૪૭૩ શ્લોક છે. (૩) નિશીથ સૂત્ર : આના ૨૦ ઉદ્દેશા છે. પહેલા ઉદ્દેશામાં ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત, બીજાથી પાંચમા ઉદ્દેશા સુધી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત, છ થી અગિયારમાં ઉદ્દેશામાં ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત, બારમાથી ઓગણીસમાં ઉદ્દેશા સુધી લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત અને ક્યા ક્યા કામ કરવાથી ક્યા ક્યા પ્રાયશ્ચિત્ત આવે છે તેની ૧૫૯૦ નિયમો બતાવેલ છે. અને વીસમા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્ત શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy