SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા શ્રુતસ્કંધમાં સંવર દ્વારના ૫ અધ્યયન છે. જેમાં (૧) દયા, (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) બ્રહ્મચર્ય અને (૫) નિર્મમત્વ. આ પાંચેના અનેક નામ નિષ્પન્ન થવાનાં કારણ અને તેનાં ફળનું કથન છે. આમાં પહેલાં ૯,૩૧,૧૬૦૦૦ પદો હતા હમણાં ૧૨૫૦ શ્લોક મૂળ પાઠના છે. (૧૧) ‘વિપાક સૂત્ર’ = : આમાં પણ બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ દુઃખ વિપાક છે. તેમાં ૧૦ અધ્યયન છે. (૧) મૃગા લોઢિયો, (૨) ઉજ્જિતકુમાર, (૩) અભંગસેન ચોર, (૪) શકટકુમાર, (૫) બૃહસ્પતિદત્ત, (૬) નંદીસેનકુમાર, (૭) ઉમ્બર દત્ત, (૮) શૌર્યદત્તમચ્છી, (૯) દેવદત્તા રાણી અને (૧૦) અંજુ રાણી આ દસે જણ પાપાચરણ કરી તેનાં ફળ સ્વરૂપે ઘોર દુઃખો પામ્યાં. અનેક ભવભ્રમણ કરી મોક્ષમાં જશે. બીજો શ્રુતસ્કંધ સુખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન છે. (૧) સુબાહુકુમાર, (૨) ભદ્રનંદીકુમા૨, (૩) સુજાતકુમાર, (૪) સુવાસવકુમાર, (૫) જિનદાસ કુમાર, (૬) ધનપતિકુમા૨, (૭) મહાબલકુમાર, (૮) ભદ્રંનંદીકુમાર, (૯) મહાચંદ્ર કુમાર, (૧૦) વરદત્તકુમાર. આ દસે કુમારો તપોધન સાધુઓને ઉત્તમ દાન આપી મહા સુખના ભોક્તા થયા. આગળ તપસંયમનું આરાધન કરી કેટલાક જીવો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી સુખે મોક્ષ પ્રાપ્ત કરશે. અને કેટલાંક જીવો તે જ ભવે મોક્ષે જશે. આ સૂત્રનાં પહેલાં ૧૧૦ અધ્યયન અને ૧,૮૪,૩૨,૦૦૦ પદો હતા. હમણાં ૧૨૧૬ શ્લોક મૂળપાઠના છે. (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર : આમાં ૫ વત્થ (વસ્તુ) છે. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયોગ અને (૫) ચૂલિકા આમાં પહેલા પરિકર્મના ૭ પ્રકાર : (૧) સિદ્ધ શ્રેણિકા, (૨) મનુષ્ય શ્રેણિકા (આ બેના ૧૧ પ્રકાર છે.) (૩) પુષ્ટ શ્રેણિકા, (૪) અવગાઢ શ્રેણિકા, # દુ:ખ વિપાકનું વર્ણન તો સવિસ્તાર છે. સુખવિપાકમાં પ્રથમ અધ્યયન સિવાય શેષ સઘળાનું વર્ણન સંક્ષિપ્તમાં છે. ઉપાધ્યાય અધિકાર ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy