SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આ કુલ ૯૦ જીવો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં પધાર્યા છે. પહેલાં આ અંતગડ સૂત્રમાં ૨૩,૨૮OOO પદો હતા. અત્યારે મૂળ પાઠના ૯૦૦ શ્લોક રહ્યા છે. (૯) અનુત્તરોવવાદ: આ સૂત્રના ૩ વર્ગ છે. પ્રથમ વર્ગના ૧૦ અધ્યયન (૧) જાલીકુમાર, (૨) માલીકુમાર, (૩) ઉવયાલીકુમાર, (૪) પુરુષસેનકુમાર, (૫) વારિષણકુમાર, (૬) દીર્ઘદંતકુમાર, (૭) લષ્ઠદાંતકુમાર, () વેહલ્લકુમાર, (૯) વૈહાયકુમાર અને (૧૦) અભયકુમાર. બીજા વર્ગના ૧૩ અધ્યયન (૧) દીર્ઘસેનકુમાર, (૨) મહાસેનકુમાર, (૩) લષ્ઠદંતકુમાર, (૪) ગૂઢદંતકુમાર, (૫) શુધ્ધદંતકુમાર, (૬) હલ્લકુમાર, (૭) ઠુમકુમાર (2) દ્રુમસેન (૯) મહાદ્રુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન, (૧૨) મહાસિંહસેન, (૧૩) પુણ્યસેન કુમાર. (બન્ને વર્ગમાં કહેલા ત્રેવીસે કુમાર શ્રેણિક રાજાના પુત્રો સમજવા.) ત્રીજા વર્ગના ૧૦ અધ્યયન (૧) ધન્ના અણગાર, ૪ (૨) સુનક્ષત્ર અણગાર, (૩) ઋષિદાસ, (૪) પેલ્લક, (૫) રામપુત્ર, (૬) ચંદ્રિકુમાર, (૭) પુષ્ટિ માતૃક (2) પેઢાલકુમાર, (૯) પોટિલકુમાર, (૧૦) વિહલ્લ કુમાર (આ દસે ગાથાપતિ જાણવા.) - ૩૩ મહાપુરુષો અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. બધા એક ભવ કરીને મોક્ષમાં જશે. તેનું વર્ણન છે. આ સૂત્રના પહેલાં ૯૪, ૦૪,૦૦૦ પદો હતા હમણાં ફકત ૨૯૨ શ્લોક મૂળપાઠના છે. (૧૦) પ્રશ્ન વ્યાકરણ: આમાં બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રત સ્કંધમાં ૫ આશ્રવારનાં ૫ અધ્યયન છે. જેમાં (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહથી પાપ નિષ્પન્ન હોવાના કારણ તથા તેના ફળના કથન છે. ' અંતગડ સૂત્રમાં જાલીકુમાર કહ્યા છે, તે જાદવકુળના જાણવા અને અંહિ જાલીકુમાર તે શ્રેણિક રાજાના પુત્ર જાણવા. * આ સૂત્રમાં ઘન્ના અણગારનું ચરિત્ર સવિસ્તૃત છે. બાકી નવ કુમારના કથન સંક્ષેપમાં છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy