SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત અને ભાષામાં શાંત એમ ચાર પ્રકારે સ્થિર કે શાંતસ્વભાવી (૨) સરળ ચિત્તવાળો (૩) કુતૂહલ રહિત (૪) કોઈનું અપમાન કે તિરસ્કાર ન કરનાર (૫) વધુ સમય ક્રોધ ન રાખનાર (૬) મિત્રોથી હળમળીને રહેનાર (૭) જ્ઞાનના ગર્વ રહિત (૮) પોતાના દોષ પ્રગટ કરનાર પણ બીજા ઉપર આળ નહિ ચડાવનાર (૯) સ્વધર્મી ઉપર ક્રોધ ન કરનાર (૧૦) દુશ્મનના ગુણને પણ વખાણનાર (૧૧) કોઈની છાની વાત પ્રગટ ન કરનાર (૧૨) વિશેષ આડંબર ન કરનાર (૧૩) તત્ત્વને જાણનાર (૧૪) જાતિવંત (૧૫) લજ્જાવંત તથા જિતેન્દ્રિય એ ૧૫ ગુણો ધારણ કરનાર વિનીત કહેવાય. એવા વિનીત ઘણી સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને ભવિષ્યમાં સ્વપરહિત સાધી શકે છે. ઉપાધ્યાયજીના ૨૫ ગુણો ગાથા : વીરસંગ વડ વૃદ્ધા ૨UT રર નુ | पब्भावणा जोग निग्गो, उवज्झाय गुणं वंदे ॥ અર્થ : (૧ થી ૧૨) ૧૨ અંગના પાઠક, (૧૩ થી ૧૪) કરણ સિત્તરી ચરણ સિત્તરીના ગુણયુક્ત (૧૫ થી ૨૨) આઠ પ્રભાવનાથી જૈન ધર્મને દીપાવે (૨૩ થી ૨૫) મન, વચન, કાયાના યોગને કાબૂમાં રાખે તેવા ગુણયુક્ત ઉપાધ્યાયને વંદન કરું છું. દ્વાદશાંગ સૂત્ર : જેમ અંગ (શરીર)ના આધારે જીવ જગતમાં રહે છે, તેવી જ રીતે જ્ઞાનના આધારથી ધર્મ આ વિશ્વમાં રહે છે. આવા મુખ્ય જ્ઞાનમય જે ગ્રંથો છે તેને અંગ સૂત્ર કહે છે તે બાર છે. (૧) આચારાંગ સૂત્ર: તેના બે શ્રુત સ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે. (૧) “શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન' તેના સાત ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે દિશાઓનું, પૃથ્વીકાયન, અકાયનું, અગ્નિકાયનું, વાયુકાયનું, વનસ્પતિકાયનું અને ત્રસકાયનું કથન છે. (૨) “લોક વિજય અધ્યયન' તેના છ ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે વિષય ત્યાગનું, મદ ત્યાગનું, સ્વજનથી મમત્વ ત્યાગનું. દ્રવ્યથી મમત્વ ત્યાગનું અને હિત શિક્ષણનું કથન છે. ૧૦૦ ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy