SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ ઉપાધ્યાય જેઓ ગુરુ વગેરે ગીતાર્થ મહાત્માઓની પાસે હંમેશા રહી, વિનય ભક્તિ કરી, વિચક્ષણતા પૂર્વક તેને પ્રસન્ન રાખી તેમની આજ્ઞાનુસાર શુભયોગ ઉપધાનતપ (તપશ્ચર્યા) આદરીને મધુર વચનોથી સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કરી પારંગત થયા છે. જેઓ ઘણા સાધુ તથા ગૃહસ્થોની પાત્ર અપાત્રની પરીક્ષા કરીને યથાયોગ્ય જ્ઞાનનો અભ્યાસ કરાવે છે, તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છે. ..... જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય વ્યક્તિ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યયનમાં કહ્યું છે. अह पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भइ । थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ॥३॥ આ પ્રમાણે જે પાંચ કારણોથી હિતશિક્ષા મેળવાતી નથી તે પાંચ કારણ (૧) અહંકાર (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ અને (૫) આળસ. જ્ઞાન ગ્રહણ કરવાને યોગ્ય (૧) થોડું હસનાર (૨) હંમેશા આત્માને દમનાર (૩) નિરાભિમાની (૪) પરમાર્થને શોધનાર (૫) પોતાના ચારિત્રને થોડે યા ઘણે અંશે કલંક ન લગાડનાર (૬) રસનેન્દ્રિયના અલોલુપી (૭) ક્ષમાવંત અને (૮) સત્યવાદી એ આઠ ગુણવાળા મનુષ્યો હિતની વાતો ગ્રહણ કરી શકે છે. અવિનીતનાં ૧૪ લક્ષણો (૧) વારંવાર ક્રોધ કરે અથવા દીર્ઘકષાયી (૨) નિરર્થક કથા વાર્તા કરે (૩) સન્મિત્રનો દ્વેષ કરે, (૪) મિત્રની ગુપ્ત વાત પ્રગટ કરે (૫) જ્ઞાનનો ગર્વ કરે (૬) પોતાનો વાંક પારકા ઉપર ઓઢાડે (૭) મિત્ર પર ગુસ્સો કરે, (૮) સંબંધ રહિત (મેળ વગરનું) ભાષણ કરે (૯) દ્રોહી (૧૦) અહંકારી (૧૧) અજિતેન્દ્રિય (૧૨) અસંવિભાગી (મળેલી વસ્તુ સમભાવે વહેંચી ન આપે તે) (૧૩) અપ્રતીતકારી (૧૪) અજ્ઞાની. એ પ્રમાણે ૧૪ અવગુણવાળાને અવિનીત કહે છે. એવાને જ્ઞાન યથાતથ્ય પરિણમતું નથી, ઊલટું નુકશાન કારક નીવડે છે. વિનીતના ૧૫ લક્ષણો (૧) ગતિમાં શાંત, નિવાસસ્થાને શાંત, વાણીમાં Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૯૯ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy