SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (3) અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરે તે નિક્ષેપ વિનય' તેના ૪ પ્રકાર : (૧) મિથ્યાત્વને સમકિતી બનાવે (૨) સમકિતીને ચારિત્રી બનાવે (૩) સમકિત ચારિત્રથી ભ્રષ્ટ થતાંને સ્થિર કરે, અને (૪) નવા સમકિતી નવા ચારિત્રી બનાવી ધર્મની વૃધ્ધિ કરે. (4) કષાયાદિ દોષોનો પરિઘાત (નાશ) કરે તે “દોષ પરિઘાત વિનય તેના જ પ્રકાર (૧) ક્રોધીને ક્રોધના અવગુણ અને ક્ષમાના ગુણ બતાવી ક્ષમાવંત બનાવે તે “ક્રોધ પરિધાત' (૨) વિષયથી ઉન્મત્ત બનેલાને વિષયના અવગુણ, શીલના ગુણ બતાવી નિર્વિકારી બનાવે તે વિષય પરિવાત” (૩) રસ લોલુપી હોય તેને લુબ્ધતાના અવગુણ અને તપના ગુણ બતાવી તપસ્વી બનાવે તે “આત્મદોષ પરિઘાત’. આ ૮ સંપદાના ૩ર અને ૪ વિનય એમ આચાર્યજીના ૩૬ ગુણનું વર્ણન થયું. આવા જ્ઞાન પ્રધાન, દર્શન પ્રધાન, ચારિત્ર પ્રધાન, તપ પ્રધાન, શૂર વીર, ધીર, સાહસિક, શાન્ત, દાત્ત ચારે તીર્થના વાલેશ્વર, જિનેશ્વરની ગાદીના અધિકારી, જૈન શાસનના નિર્વાહક, પ્રવર્તક આદિ આદિ અનેક ગુણગણાલંકૃત આચાર્ય ભગવંતને મારા ત્રિવિધ ત્રિવિધે વિશુદ્ધ ભાવે વારંવાર નમસ્કાર હો. * * * ‘અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો જીવનના જ્યોતિર્ધર એને નિશદિન જલતો રાખો ઊંચે ઊંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો તુજને ઓળખું નાથ નિરંજના એવી આપો આંખો ” તેજસ્વી છો શાસન સિતારા, ગ્રહી જેને ધર્મધૂરા ઓજસ્વી આચાર્યોથી શોભે, પ્રકાશવંતી આ ધરા છત્રીશ ગુણોથી શોભતાં, આચાર્યવંત મુનીશ્વરા. આચાર્યને કરું વંદના, સુખદાયી આપની છે ગિરા!' આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy