SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કષાયથી મુક્ત પ્ = સંસાર, આય = લાભ અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. જેવી રીતે કલઈ વિનાના પીતળના પાત્રમાં રહેલ દૂધ આદિ ઉત્તમ વસ્તુ કટાયેલી (બેસ્વાદ) બની જાય છે તેવી જ રીતે કષાય રૂપ દુર્ગુણથી આત્માના સંયમાદિ ગુણો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. કષાયના ૪ પ્રકાર છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માર્ચ, (૪) લોભ. આમ ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૯વાડ બ્રહ્મચર્ય અને ૪ કષાયનો નિગ્રહ મળી કુલ ૩૬ ગુણયુક્ત આચાર્ય ભગવાન હોય છે. ૩૬ ગુણના ધારક આચાર્ય (૧) જેમની જાતિ (માતૃપક્ષ) નિર્મળ હોય તે ‘જાતિ સંપન્ન’, (૨) કુળ (પિતૃપક્ષ) નિર્મળ હોય, તે ‘કુળ સંપન્ન’, (૩) કાળ પ્રમાણે ઉત્તમ સંઘયણ (પરાક્રમી) હોય તે ‘બળ સંપન્ન’, (૪) સમચતુરસાદિ ઉત્તમ સંસ્થાન (શરીરનો આકાર) હોય તે ‘રૂપ સંપન્ન’, (૫) કોમલ (નમ્ર) સ્વરૂપ હોય તે ‘વિનય સંપન્ન’, (૬) મતિ શ્રુતાદિ, નિર્મળ, જ્ઞાનવંત તથા અનેક મતમતારનાં જ્ઞાતા હોય તે ‘જ્ઞાનસંપન્ન’, (૭) શુધ્ધ શ્રધ્ધાવંત હોય તે ‘દર્શન સંપન્ન’, ૮) નિર્મળ ચારિત્રી શુધ્ધાચારી હોય તે ‘ચારિત્ર સંપન્ન’, (૯) અપવાદ (નિંદા) ી લજ્જિત થાય તે ‘લજ્જાવંત’, (૧૦) દ્રવ્યથી ઉપધિ (ભંડોપકરણ) એ ઓ ભાવથી ક્રોધાદિ કષાયોએ કરી હળવો હોય તે ‘લાઘવ સંપન્ન’ (આ ૧૦ ગુણ અવશ્ય હોય), (૧૧) પરિષહ આવ્યે ધૈર્ય ધારણ કરે તે ‘ઓયંસી’ (ઓજસ્ટ), (૧૨) પ્રતિભાશાળી હોય તે ‘તેયંસી’ (તેજસ્વી), (૧૩) કોઈની જાળમાં ૧ ફસાય એવી ચતુરાઈથી બોલે તે ‘વચ્ચેતિ’ (વર્ચસી), (૧૪) જસંસી ‘યશવી’ (આ ચાર ગુણ સ્વાભાવિક હોય છે), (૧૫) ક્ષમાથી ક્રોધને જીતે તે ‘ાિ કોહે’, (૧૬) વિનયથી માનનો પરાજય કરે તે ‘જિયમાણે’, (૧૭) સરળતાથીાયાનો પરાજય કરે તે જિય માયે', (૧૮) સંતોષથી લોભને જીતે તે ‘જિટલોકે', (૧૯) ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે ‘જિઇન્દિએ’, (૨૦) પાપની નિંદા રે પણ પાપીની નિંદા ન કરે તથા નિંદકોની દરકાર ન કરે તેમ જ સ્વલ્પ નિદ્રલે તે ‘જિયનિંદે', (૨૧) ક્ષુધા તૃષાદિ બાવીસ પરિષહને જીતે તે ‘જિય ષડે' શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૯૩ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy