SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૧). મી. ઉંદર અને બિલાડી સાથે રહે તો ઉંદરનું મૃત્યુ થાય, તેવી જ રીતે જ્યાં સ્ત્રી, પશું કે નપુંસક વસતાં હોય તે જ સ્થાનમાં બ્રહ્મચારી વસે તો તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે हत्थ पाय पडिच्छिन्नं, कन नास विगप्पियं । अवि वाससयं नारी, बंभयारी विवज्जए । (અધ્ય. ૮, ગાથા - પ૬) અર્થ : જેનાં હાથ, પગ, નાક, કાન છેદાયેલાં હોય તેવી સો વર્ષની વૃધ્ધા પણ જે મકાનમાં રહેતી હોય ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહિ. (૨) થી હાં સ્ત્રીના સૌંદર્ય, શૃંગાર, હાવભાવનું વર્ણન. આદિ વિષય વર્ધક વિકથા કરવી નહિ. (૩) સં. જેમ ઘઉંનો લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂરું કોળું રાખવાથી , લોટનો કસ ઉડી જાય છે તેમ સ્ત્રી પુરુષ એક આસને બેસવાથી બ્રહ્મચર્યનો નાશ થાય છે. (૪) તા. જેમ સુર્ય સામે વધુ સમય જોવાથી આંખનું તેજ ઘટે છે તેમ સ્ત્રીના અંગ ઉપાંગ વિષય બુધ્ધિએ જોવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. (1) કું. મેઘગર્જનાથી મોર હર્ષ પામે છે તેમ નજીકમાં રહેતાં દંપતીના શબ્દ સાંભળવાથી વિકાર ઉત્પન્ન થાય છે. ૯) પુ. સંસાર અવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. ૭) . હંમેશા સરસ કામોત્તેજક આહાર લેવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે () . ભૂખથી અધિક ખોરાક લેવાથી બ્રહ્મચર્યનો ઘાત થાય છે. (૯) મત. સ્થાન, મંજન, વિલેપન, શૃંગારાદિ વડે શરીરની વારંવાર વિભુષાકરવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે. બામ વિચારી બ્રહ્મચારીજનોએ ઉપરોક્ત નવ વાડ સહિત વિશુધ્ધ બ્રહ્મચર્ય પાળવુંજોઈએ. ૯૨ આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy