SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયના ૭ પ્રકાર છે. ત્રિરત્ન વિનય, ત્રિયોગ વિનય, લોક વ્યવહાર વિનય. (૩) વૈયાવચ્ચઃ ગુર્નાદિકોને, વડીલોને, સમસ્ત જીવોનું કોઈ પણ કાર્ય હોય તેમાં ઉપયોગી થવું શાતા ઉપજાવવી, અનુકૂળ થવું તેનું નામ છે વૈયાવચ્ચ (સેવા) ઉત્કૃષ્ટ ભાવે કરવાથી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે. વૈયાવચ્ચના ૧૦ પ્રકાર છે. (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) શૈક્ષ-નવદીક્ષિત, (૪) ગ્લાન (રોગી), (૫) તપસ્વી, (૬) સ્થવિર, (૭) સ્વધર્મી, (૮) કુલ, (ગુરુભાઈ), (૯) ગણ (સંપ્રદાયના સાધુ), (૧૦) સંઘ (તીર્થ). (૪) સ્વાધ્યાય : આખ પુરુષોની વાણીને સતત યાદ કરવી પ્રમાદને ટાળી અપ્રમતું બનવું આત્મા સાથેનું અનુસંધાન જોડવું તે સ્વાધ્યાય (સઝાય). સ્વાધ્યાયના પાંચ પ્રકાર (૧) ગીતાર્થ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરવો તે વાચના. (૨) સંશય થતાં વિનય પૂર્વક પ્રશ્ન પૂછીને સંદેહની નિવૃત્તિ કરે તે પૃચ્છના. (૩) સંદેહ રહિત જ્ઞાનને વારંવાર યાદ કરે જેથી જ્ઞાન નિશ્ચલ થાય, સ્મરણ શક્તિ વધે તે પરિયટ્ટણા. (૪) વધુ અર્થને જાણવા માટે એના ઉપર ચિંતન કરે તે અનુપ્રેક્ષા. (૫) ઉક્ત ચાર પ્રકારને ગ્રહણ કરીને શાસનની ઉન્નતિ અર્થે પરિષદમાં ઉપદેશ દે તે ધર્મકથા. (૫) ધ્યાન : ધ્યાનના ૪ પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુક્લ ધ્યાન. આર્ત-રૌદ્ર એ બે અશુભ છે અને ધર્મ-શુક્લ એ બે શુભ ધ્યાન છે. (૧) આર્તધ્યાન: (૧) મનોજ્ઞ પદાર્થોનો સંયોગ, (૨) અમનોજ્ઞ પદાર્થોનો વિયોગ, (૩) રોગોનો નાશ, (૪) કામભોગો અચલ રહે તેવી ઇચ્છા. આર્તધ્યાનના ૪ લક્ષણ : આકંદ, શોક-ચિંતા, અશ્રપાત, વલોપાત કરે. (૨) રૌદ્રધ્યાનઃ (૧) હિંસા, (ર) જૂઠ, (૩) ચોરી, (૪) ભોગપભોગનો વિચાર રોદ્રધ્યાનના ૪ લક્ષણ : વારંવાર હિંસા, હિંસામય ધર્મની સ્થાપના શ્રી જૈન તત્ત્વ સાર [૮૫] | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy