SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કામશાસ્ત્રનો અભ્યાસ, મૃત્યુ પર્યન્ત પાપનું પ્રાયશ્ચિત્ત કરે નહિ. (૩) ધર્મધ્યાન : (૧) આત્મ ઉધ્ધાર માટે પરમાત્માએ બતાવેલા તત્ત્વજ્ઞાનનો વિચાર તે આજ્ઞા વિચય, (૨) પરિભ્રમણ રૂપ રાગ દ્વેષથી નિવૃત થવું તે અપાય વિચય, (૩) શુભાશુભ કર્મનો વિચાર તે વિપાક વિચય, (૪) ત્રણે લોકના સ્વરૂપનો વિચાર તે સંસ્થાન વિચય. | ધર્મધ્યાનના ૪ લક્ષણઃ (૧) શાસ્ત્રાનુસાર ક્રિયા કરવી તે આજ્ઞા રૂચિ, (૨) તત્ત્વનું સ્વરૂપ જાણવાની સ્વાભાવિક રૂચિ તે નિસર્ગ રુચિ, (૩) ગુરુ આદિના ઉપદેશને શ્રવણ કરવાની રુચિ તે ઉપદેશ રુચિ, (૪) આચારાંગ આદિ સૂત્ર સાંભળવાની રુચિ તે સૂત્ર રુચિ. | ધર્મધ્યાનના ૪ આલંબનઃ (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિપટ્ટણા, (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા : (૧) અનિત્ય ભાવનાનો વિચાર કરવો તે અનિત્યાનુપ્રેક્ષા, (૨) અશરણ ભાવનાનો વિચાર કરવો તે અશરણાનુપ્રેક્ષા, (૩) એકત્વભાવનાનો વિચાર કરવો તે એકત્વાનુપ્રેક્ષા, (૪) સંસારભાવનાનો વિચાર કરવો તે સંસારાનુપ્રેક્ષા. (૪) શુક્લ ધ્યાનના ૪ પાયા : (૧) એક એક દ્રવ્ય પર ઉત્પત્તિ, સ્થિતિ, નાશ આદિનો વિચાર કરવો તે પૃથકત્વ વિતર્ક સવિચાર, (૨) આત્માના એક શુધ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જવું તે એકત્વ વિતર્ક અવિચાર, (૩) તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળીના યોગોનું રૂંધન કરતી વખતનું ધ્યાન તે “સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ', (૪) શ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ અટકી જાય ત્યારે આત્મ પ્રદેશનું સર્વથા મેરુની પેઠે અકંપપણું પ્રગટે અને આત્મપ્રદેશ ઘન બની જાય ત્યારે તે ધ્યાન “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ'. શુક્લ ધ્યાનના ૪ લક્ષણઃ (૧) ત્રિરત્નની ક્ષાયિક ભાવે આરાધના દ્વારા આત્માને મુક્ત કરવો પરભાવનો ત્યાગ કરી આત્મભાવમાં લીન થવું તે વિવેક, (૨) માતાપિતાદિનો સંયોગ વિષય કષાયાદિ તથા રાગદ્વેષનો ત્યાગ તે વ્યુત્સર્ગ, (૩) સ્ત્રી આદિના અનુકૂળ ઉપસર્ગ. દેવ-દાનવ કૃત દુઃખ તે પ્રતિકૂળ * ઉપસર્ગ. બન્ને ઉપસર્ગથી ચલિત ન થવું, ધ્યાનમાં કોઈપણ ચલિત ન કરાવે તે અવ્વકે', (૪) મનોજ્ઞ-અમનોજ્ઞ-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રાગ દ્વેષ ન કરે તે અસંમોહે. શુક્લ ધ્યાનના ૪ અવલંબનઃ (૧) સાર - સાર ગ્રહણ કરવું, અસારને |૮૬ આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy