SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવથી ભોજન કરે. વિગય અને મનને ગમે તેવા આહારનો ત્યાગ કરે. (૫) કાયક્લેશ તપ : સ્વેચ્છાએ, સ્વાધીનપણે, નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયક્લેશ. આસનો, પડિમા, અભિગ્રહ દ્વારા દેહાધ્યાસને તોડવા માટે સતત કાયકલેશ તપ કરે શ૨ી૨નું દમન કરે. (૬) પ્રતિસંલીનતા ઃ તેના ૪ ભેદ (૧) ઇન્દ્રિય, (૨) કષાય, (૩) યોગ, (૪) વિવિક્ત શયનાસન. (૧) રાગ દ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે.ઇંદ્રિયોના વિષયનો સંબંધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તો ઇંદ્રિય પ્રતિસંલીનતા તપ. (૨) ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસંલીનતા તપ. (૩) અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહાર મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તાવે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈકિય, વૈકિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્યણ એ સાત કાયયોગમાંથી અશુભને છોડી શુભ યોગ પ્રવર્તાવે તે યોગ પ્રતિસંલીનતા તપ કહેવાય છે. (૪) વાડી, બગીચા આદિ ૧૮ પ્રકારના સ્થાનમાં જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય, ત્યાં એક રાત્રિ આદિ યથોચિત્ત કાળ રહે તે વિવક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ કહેવાય છે. છ પ્રકારનાં આત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત : પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત તપ, પ્રમાદવશ થઈ પાંચ પ્રકારના આશ્રવ દ્વારા જે પાપનું સેવન થાય છે, આત્મા કલંકિત બને છે ત્યારે શુધ્ધ થવા માટે, નિર્મળ બનવા માટે, આરાધક બનવા માટે પ્રાયશ્ચિત્ત નામનું તપ બતાવ્યું છે. ઠાણાંગ સૂત્રના દસમે ઠાણે દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત બતાવ્યા છે. (૨) વિનય : ગુરુ આદિ વડીલોના, વયોવૃધ્ધ, ગુણીજનોના સત્કાર, સન્માન કરે તે વિનય તપ. ૮૪ Jain Education International આચાર્ય અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy