SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. (૨) ક્ષેત્રથી : ખાનપાનાદિક વસ્તુ બે કોષથી વધુ દૂર લઈ જઈ ભોગવે (૩) કાળથી : પહેલે પહોરે લાવેલ ખાનપાનાદિ ચોથા પહોરમાં ભોગવે નહિ. (૪) ભાવથી : સંયોજનાદિ માંડલાના દોષો વર્જીને આહારાદિ ભોગવે. આહાર, વસ્ત્ર, પાત્રાદિ પર મમત્વ રાખે નહિ. સમય પર નિર્દોષ જે મળે તેનાથી સંતોષ માને અને શાસ્ત્રોક્ત ક્રિયા સમય પર કરે. (૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ :યતના પૂર્વક ભંડોપકરણ ગ્રહણ કરે, સ્થાપિત કરે તે ભંડોપકરણ બે પ્રકારનાં હોય છે. (૧) સાધુને સદૈવ ઉપયોગમાં આવે જેવાં કે ૨જોહરણ મુખવસ્ત્રિકાદિ તેને ‘ઔઘિક’ ઉપધિ કહે છે. (૨) પ્રયોજનથી કામમાં આવે તે પાટ-પાટલા વગેરે તે ‘ઔપગ્રહિક’ કહેવાય છે. સાધુને ઉપકરણ સંબંધી શાસ્ત્રમાં આ પ્રમાણે આજ્ઞા છે. (૧) કાષ્ટનું, (૨) તુંબડાનું અને (૩) માટીનું એ ત્રણ પ્રકારનાં પાત્ર આહાર, પાણી ઔષધાદિ ગ્રહણ કરવા માટે રાખે, કોઈ જીવની હિંસા ન થાય તેવો ઊન, અંબાડી કે શણનો રજોહરણ ભૂમિ આદિનું પ્રમાર્જન કરવા માટે રાખે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે છીંક, બગાસુ અને શ્વાસોચ્છ્વાસથી જીવહિંસા થાય છે. તેથી વસ્ત્રનાં આઠ પડની મુખવસ્ત્રિકા દોરા સહિત મુખ પર અહર્નિશ બાંધી રાખે, ઊન, સૂતર, રેશમ અને શણની શ્વેત રંગની અને પ્રમાણોપેત (માપસર) વસ્ત્રની ૩ ચાદર (ઓઢવા માટે) રાખે, એક ચોલપટો (પહેરવા માટે) રાખે. એક બિછાનાનું વસ્ત્ર રાખે, એક ગુચ્છક (ગુચ્છો) વસ્ત્ર, પાત્ર તથા શરીર પર રહેતા જીવોનું પ્રમાર્જન ક૨વા રાખે. ખાળ, ગટર વગેરેમાં લઘુનીત (પેશાબ) કરવાથી દુર્ગંધ ઉત્પન્ન થાય રોગાદિ ઊપજે, ચેપી રોગનો પણ ડર રહે. તેની સાથે સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેથી એક પાત્રમાં લઘુનીત કરી એકાંત જગ્યામાં છૂટું છૂટું પરઠી દે. ભિક્ષા લાવવાનાં પાત્ર રાખવાની ઝોળી, પાણી ગાળવાનું ગળણું પાત્ર ८० Jain Education International આચાર્ય અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy