________________
સહુથી મહત્ત્વપૂર્ણ વાત છે : વ્યવસ્થાના સંચાલક પોતે કેવો છે ? જો સંચાલક સારો નહીં હોય, તો વ્યવસ્થા એકલે હાથે કંઈ જ ન કરી શકે. લોકતંત્ર એટલે જ ડગમગી ગયું છે, કેમકે લોકતંત્રને પકડનારા હાથ તેની (લોકતંત્રની) નાવને તારનારને બદલે ડૂબાડનાર બની રહ્યા છે. બંનેનો સહયોગ જોઈએ ઃ સારી વ્યવસ્થા અને સારો સંચાલક.
સમાજસેવા ચિત્તનું શુદ્ધીકરણ
વિનોબાએ એક બહુ જ સારી વાત કરી હતી, કે સમાજસેવા અને ચિત્તશોધન બંનેનો યોગ થવો જોઈએ. સરકાર અનુસૂચિત જનજાતિ માટે કરોડો રૂપિયા, યોજનાઓ મૂકીને ખર્ચે પરંતુ રૂપિયા ક્યાં સુધી પહોંચે છે ? તે વચ્ચે જ કયાંક અટવાઈ જાય છે. એનું કારણ શું છે ? એનું કારણ એ કે, વ્યવસ્થા કરનારા સંચાલકો બરાબર નથી. વ્યવસ્થા સાચી ગોઠવી છે, પણ તેનું ઉપાદાન ઠીક નથી. જ્યાં સુધી સમાજસેવા અને રાજ્યસેવા સાથે ચિત્તશોધનની પ્રવૃત્તિ નહીં જોડાય, ત્યાં સુધી કોઈ જ પરિવર્તન નહીં આવી શકે. જીવન વિજ્ઞાનનો આ જ મૂળ સિદ્ધાંત રહ્યો છે : “પ્રત્યેક પ્રવૃત્તિની સાથે ચિત્તશોધનની પ્રવૃત્તિ જોડાયેલી હોવી જોઈએ. અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા આ ત્રણેને કેવળ નિમિત્તના આધારે છોડી દેવામાં આવે, ચિત્તશોધનની વાત ભુલાવી દેવામાં આવે, તો પરિવર્તન ક્યાંથી શક્ય છે ? સંચાલન કરનારા જીવીતચેતનાવંત પ્રાણી છે. તેમને ગણકારવામાં ન આવે, તો પરિવર્તન કયાંથી આવે ?
સમ્યક દૃષ્ટિકોણ સંસ્કૃતમાં એક શ્લોક છે : मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । मित्रवत् सर्वभूतेषु, यः पश्याति स पण्डितः ।।
સ્ત્રીના પ્રત્યે કેવો દૃષ્ટિકોણ હોવો જોઈએ ? સ્ત્રી હોય કે પુરુષ દરેકની સ્વતંત્ર સત્તા છે. કોઈ ભોગ્ય નથી, કોઈ ભોક્તા નથી. જેવો આપણે બીજાની સત્તા પર પ્રહાર કરીએ કે તરત જ હિંસાની શરૂઆત થઈ જાય છે. એક નવી દષ્ટિ પ્રાપ્ત થઈ, તમે સ્ત્રીને ભોગ્યા ના સમજો. પત્ની સિવાય બાકીની તમામ સ્ત્રીઓને માતાના દષ્ટિકોણથી જુઓ. આવું કરવાથી તમારો વિકાર નષ્ટ થઈ જશે. જો વ્યક્તિ અભ્યાસ દ્વારા પ્રયત્ન કરીને માતૃવત્ દષ્ટિકોણ કેળવી લે, તો તેના વિકારો સમાપ્ત થઈ જાય છે, માનવી સંસ્કારોને સાથે લઈને જીવે છે. નવા સંસ્કારોનો જન્મ થતો રહે છે, પરંતુ જે ઇચ્છનીય સંસ્કારો છે તેમનો વિકાસ તો જરૂરથી થવો જોઈએ.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org