SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રકૃતિનો પોતાનો નિયમ છે, પોતાનું સંતુલન છે. તમામ પ્રાણીઓ સાથે મળીને જીવે તો વાતાવરણ શુદ્ધ રહે છે, પર્યાવરણ પ્રદૂષિત થતું નથી. પર્યાવરણના સંતુલનમાં સૌનો સહયોગ છે. કરોળિયો ઘણાં બધાં ઝેરી કીટાણુને નષ્ટ કરી નાંખે છે. જેટલા જીવો છે, પદાર્થ છે, તે બધા જ પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. આ રીતે, સંતુલનનો એક વ્યવસ્થિત ક્રમ છે. મનુષ્ય હસ્તક્ષેપ કર્યો અને સૌને ખતમ કરવાનું શરૂ કરી દીધું. આનો સીધો અર્થ એ થાય, કે મનુષ્ય પર્યાવરણને પ્રદૂષિત કરવાની જાણે. જવાબદારી લઈ લીધી હોય શ્રેણીબદ્ધ સમસ્યાઓ પ્રાણીજગત પ્રત્યે અને પદાર્થજગત પ્રત્યે આપણે દષ્ટિકોણ બદલીશું તો પર્યાવરણની સમસ્યાનું સમાધાન મળી રહેશે. આજે પ્રાકૃતિક પદાર્થોનો કસ ખૂબ જ વધારે પ્રમાણમાં કાઢવામાં છે, તેનાથી સંતુલન બગડી રહ્યું છે. સંભવ છે, ૧૦૦ વર્ષ પછી આવા પદાર્થોનો અભાવ થઈ જશે. પદાર્થ પ્રત્યેના ખોટા દષ્ટિકોણવાળી સ્થિતિનું આ ભયાવહ પરિણામ છે. પ્રાણીઓનું શોષણ અને પદાર્થોનો આડેધડ ઉપયોગ- તેમનો વધુ પડતો કસ કાઢવાની વૃત્તિ આ બંને દૃષ્ટિકોણ હિંસાને જન્મ આપે છે. પ્રાકૃતિક પદાર્થોનું વધુ પ્રમાણમાં દોહન, પ્રાણીઓનું શોષણ, યુદ્ધ અને હિંસા- આ બધી જ બાબતોને- સમસ્યાઓને અલગ-અલગ રીતે ન ગણી શકીએ, કેમ કે તે તમામ શ્રેણીબદ્ધ સમસ્યાઓ છે. ઉપાદાન અને નિમિત્ત ભગવાન મહાવીરે બે નયો પર આધારિત એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. તેમણે કહ્યું, “નિમિત્ત અને ઉપાદાન, પરિસ્થિતિ અને અંતર્જગતુબંનેને તોડીને ન વિચારો.” કેટલાક લોકો બધો જ ભાર પરિસ્થિતિ ઉપર નાંખી દે છે. પરિસ્થિતિ નહીં બદલાય, તો સમસ્યાનું સમાધાન નહીં થાય. બીજી બાજુ જે આધ્યાત્મિક લોકો છે, તેમનો મત એવો છે, કે અંતર્જગતુમાં સુધારો નહિ આવે, ઉપાદાન નહિ બદલાય તો સમસ્યાનું સમાધાન નહીં થાય. આ બંને એકાંગી-એકતરફી દૃષ્ટિકોણ છે. નિમિત્ત અને ઉપાદાન બંને જોડાયેલાં છે. ઉપાદાન શક્તિશાળી હોય અને નિમિત્ત પ્રતિકૂળ હોય તો ઉપાદાન કશું જ ન કરી શકે. નિમિત્ત શક્તિશાળી હોય અને ઉપાદાન ન હોય, તો નિમિત્ત કંઈ જ ન કરી શકે. જે કંઈ બને છે, થાય છે, તે આ બંનેના સંયોગથી જ થાય છે. દષ્ટિકોણના પરિવર્તન માટે બન્ને ઉપર ધ્યાન આપવું ઇચ્છનીય છે. એ સવગીણ દષ્ટિકોણ છે કે, વ્યવસ્થા પરિવર્તન બહુ ઇચ્છનીય છે, તેમ સાથે-સાથે ઉપાદાનનું શુદ્ધીકરણ પણ જરૂરી છે લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy