________________
જ્યારે સમાજમાં કૂરતા પાંગરે છે, ત્યારે અપરાધ વધે છે. પહેલાં અપરાધ છૂપા છૂપા શરૂ થાય છે . જ્યારે વ્યક્તિ અપરાધની નિપુણતા પ્રાપ્ત કરી લે ત્યારે તે જાહેરમાં મોટા અપરાધ કરે છે. આતંકવાદની પૃષ્ઠભૂમિમાં પણ ક્રૂરતા અને શોષણ મુખ્ય છે. પહેલી નજરે તે આતંકવાદ લાગે છે, પરંતુ ઊંડાણથી વિચારતાં ક્રૂરતા અથવા શોષણનું તત્ત્વ જ બહાર આવે છે. આ તમામ સંદર્ભમાં માનવીય સંબંધોની વિચારણા જ કરવી રહી.
સંબંધઃ સાપેક્ષ ચિત્તન
સંબંધો વિના સમાજ અને સામાજિક જીવન ન સંભવી શકે. તેથી જ મુનિ ભગવંતોને સંબંધાતીત કહ્યા છે “સંગો I પિક્વમુલ્સ'. મુનિનું જીવન સંયોગાતીત હોય છે, જ્યારે સામાજિક પ્રાણીનું જીવન સંબંધયુક્ત હોય છે. એક વ્યકિત સેંકડો-સેંકડો સંબંધોનું જીવન જીવે છે. પારિવારિક, સંસ્થાગત અને રાજકીય સંબંધોનું જીવન ચાલતું જ રહે છે. આ સમ્બન્ધોની સ્વસ્થ ભૂમિકા તૈયાર કરવી અપેક્ષિત છે. આ સમ્બન્ધો કયાં તત્ત્વો પર વિકસે તે અંગે નક્કી કરવું બહુ આવશ્યક છે. સામાજિક સંબંધની ભૂમિકામાં એક મહત્ત્વપૂર્ણ તત્વ છે : સાપેક્ષ ચિંતન. મોટા ભાગના લોકો નિરપેક્ષ ચિંતન કરે છે, તેનું સ્વરૂપ છે : મે પીધું, મારા બળદ પીધું, હવે ભલે કુવો ધસી પડે, પુરાઈ જાય.' સાપેક્ષ સ્વરૂપના ચિંતન પ્રમાણે : “મેં રોટલી ખાધી છે, પરંતુ મારો પડોશી ભૂખ્યો છે, તેનું પરિણામ મારા માટે સારું નહિ આવે. તે ચોર, ડાકુ અથવા લૂંટારો અવશ્ય બનશે અને મારી ઉપર જ આક્રમણ કરશે” આ સાપેક્ષ ચિન્તન છે, તે મુજબ સ્વાર્થની સીમા ઓછી થઈ જાય છે, ઘટી જાય છે. એવું તો ન જ બનવું જોઈએ કે સમાજના ૮૦ % લોકો મોજમજા કરે, તાગડધિન્ના કરે અને ૨૦ % લોકો ભૂખે મરતા રહે. પણ વાસ્તવમાં બને છે આવું જ. આવું કયાં સુધી ચાલશે ? આ પરિસ્થિતિમાં પ્રતિક્રિયાત્મક હિંસા ફરજિયાત બની જાય છે.
સાપેક્ષ વ્યવહાર
બીજું સૂત્ર છે ઃ સાપેક્ષ વ્યવહાર. સાપેક્ષ વ્યવહારનું સ્વરૂપ છે, એમના વિના હું ન રહી શકું.' પતિ જો પત્ની સાથે નિરપેક્ષ વ્યવહાર કરે, તો બંનેનું પારિવારિક જીવન અસ્વસ્થ થઈ જાય છે. પડોશી અન્ય પડોશી સાથે નિરપેક્ષ વ્યવહાર કરે તો, કડવાશ વધે છે, શત્રુતા પાંગરે છે, ન્યાયાલયના દરવાજે જવું પડે છે. નિરપેક્ષ વ્યવહારમાં પરિસ્થિતિ બગડી જાય છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org