________________
વિભાજનનું કારણ
એક તત્ત્વ છે સમાનતાનું વૃણાને બદલે પ્રેમનું તત્ત્વ વિકસિત થાય. હિંદુસ્તાનમાં જાતિનાં સંસ્થાનો રચાયાં અને પરદેશોમાં વર્ગોનાં સંસ્થાનો
સ્થપાયાં. જાતિ અને વર્ગ બંનેમાં ઘૂણાનાં તત્ત્વો આવી ગયાં. રંગ પ્રતિ ધૃણા શરૂ થઈ ગઈ. કાળા લોકોનો તિરસ્કાર અને ગોરા લોકોનું સન્માન. આમ ત્યાં રંગ-આધારિત સામાજિક વિભાજન બની ગયું. જાતિના આધારે ઘણાની ધારણા રચાઈ ગઈ. એના આધારે છૂતાછૂત-આભડછેટની ભાવના પાંગરતી રહી. વસ્તુતઃ ધૃણા અહંની સંતુષ્ટિ નથી થતી. ઘૂણાનું તત્ત્વ વિકસે છે, બીજાને પણ માનવાથી, ગુલામ બનાવવાથી. જ્યાં પ્રેમનો વિસ્તાર થાય છે ત્યાં કોઈ કોઈને ગુલામ નથી બનાવી શકતું, સૌ પરસ્પરને સમાન સ્થાને ગણે છે.
સમાનતાનો સ્વર આચાર્ય માનતુંગે ભગવાન ઋષભની સ્તુતિમાં લખ્યું છેઃ
ભગવંત, તમારી આરાધના કરનાર ભક્ત તમારા સમાન બની જાય છે, એમાં આશ્ચર્યની શી વાત છે ? જે ઈશ્વર છે, અહતુ અને તીર્થંકર છે, તે જો પોતાના ભક્તને પોતાના સમાન ન બનાવે, તો તેવા ભગવાન સાથે આપણો સમ્બન્ધ જ શો ?
“ નામુતં મુવનમૂષા ! તનાથ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो नुन तेन किं या , भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।."
અહંતવાદનો આ બહુ મોટો પ્રકલ્પ છે. જેના દર્શને જે સમતાની વાત કહી છે, તેનો પૂરો નિવહિ થાય છે. ઈશ્વરવાદમાં એવું નથી હોતું. ત્યાં ઈશ્વર, ઈશ્વર જ બની રહે છે અને બીજા નીચે રહી જાય છે, તે ક્યારેય ઈશ્વર ન બની શકે. જૈન દર્શનમાં કહેવાયું છે. “સાધના કરનાર સ્વયં એક દિવસ ઈશ્વર બની જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ઉત્કર્મનો સિદ્ધાંત છે. સામાજિક દૃષ્ટિએ પણ તે ખૂબ કીમતી છે. જો માલિક પોતે પોતાના મજૂરને પોતાના સમાન બનાવી લે તો પછી અહિંસક સમાજ નવ-રચના પર ચિંતન કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે. નાના માણસને પોતાના સમાન બનાવી લેવાનું ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિમાં પ્રેમનો વિસ્તાર થયો હોય.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org