________________
પાંદડાંને સીંચવાનો પ્રયત્ન
અહિંસક સમાજરચનાના સંદર્ભમાં અનેક પ્રયોગો થયા. ભૂદાન અને સંપત્તિદાનના પ્રયોગો થયા. સંપન્ન રાષ્ટ્રો ગરીબ વિપન્ન રાષ્ટ્રો માટે કરોડો રૂપિયાની સહાય કરે છે. તેમ છતાં શું હિંસામાં ઘટાડો થયો ? આ પ્રશ્નનો ઉત્તર હકારાત્મક ભાષામાં આપી શકાય તેમ નથી. આપણે સ્વીકારવું પડશે કે, હિંસાનો સૌથી મોટો સ્રોત છે : આપણું મગજ. જ્યાં સુધી મસ્તિષ્કને યોગ્ય રીતે શિક્ષિત કરવામાં નહિ આવે, ત્યાં સુધી હિંસાને ઓછી નહિ કરી શકાય. સામાજિક અને વ્યક્તિગત બંને ક્ષેત્રોમાં ધ્યાન આપવું પડશે. એક બાજુ વિપન્નતાને ઓછી કરવાના પ્રયોગો થાય છે તો બીજી બાજુ ન્યાયોચિત વહેંચણીની ઉપેક્ષા થઈ રહી છે. આ કેવળ પાંદડાંને સીંચવાનો જ પ્રયત્ન છે. સૌથી મોટી માંગ છે : ન્યાયોચિત વ્યવસ્થા, વહેંચણીમાં સમાનતા.
વિષમતાનો ઉદ્ભવ
પ્રાચીન મનીષીઓએ કહ્યું, કપડાં ગંદાં કરીને સાફ ન કરો. કપડાંને ગંદાં કરો જ નહિ, કે જેથી સાફ કરવાની જરૂર જ ન પડે. હું કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ વ્યવસ્થા પર પ્રહાર કરવા નથી માંગતો. પ્રહાર છે આપણી નીતિ અને આપણી સમજ ઉપર. આપણી સમજ એવી હોય છે, આપણને સહયોગ કરવાની અપેક્ષા જ ના હોય. પ્રારંભથી જ વહેંચણીના ઔચિત્ય પર ધ્યાન આપીએ. મિલમાલિક એક મિલમાં થતા ઉત્પાદનમાંથી કેટલો ભાગ પોતાના માટે રાખે છે, અને કેટલો ભાગ મજૂરોને આપે છે તે મુખ્ય પ્રશ્ન છે. અલબત્ત થતા ઉત્પાદનમાંથી મળતા નફાની વહેંચણીની આ વાત છે. કદાચ, આમાંથી નેવું ટકા પોતે રાખે અને દશ જ ટકા તે મજૂરોને વહેંચે છે. મજૂરો પર દયા શાની ? કોઈપણ વ્યક્તિને વિષમ સ્થિતિમાં મૂકી દઈને, પછી તેના ઉપર દયા કરવી, ઉપકાર કરવો ખૂબ વિચિત્ર વાત છે. અહીં જ આપણી સમાનતા ખતમ થઈ જાય છે અને વિષમતાનો ઉદ્દભવ થાય છે, તેનું પાલન-પોષણ થાય છે.
ન્યાયનું અતિક્રમણ
માનસિકના પ્રશિક્ષણના અભાવે આ પરિસ્થિતિ પેદા થયેલી છે. વિષમતા માટે આપણા મનમાં કોઈ ઘણા નથી. સમતા માટે કોઈ લાગણી નથી. ક્રૂરતા, ભોગ, લોભ, અને સુવિધાવાદ વગેરે માટે દૃષ્ટિકોણ બદલાયો હોત તો ક્યારેય આવી પરિસ્થિતિ નિમણિ ન પામી હોત. ક્રૂરતાનું પ્રક્ષાલન નથી થયું, લોભનું પરિમાર્જન નથી થયું. મોહનું મારણ નથી જડતું,
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org