________________
ત્યારે જ આ સમસ્યાઓ પેદા થઈ છે. આજે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પરંતુ અહિંસા નથી. વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પરંતુ સમતા નથી. જો સમતા હોત, તો સમાજની ભરપૂર સમ્પત્તિ ઉપર થોડાક જ લોકોનો અધિકાર ન હોત, સત્તા અને સમ્મદા કેન્દ્રિત ન હોત. આજે નેવું ટકા લોકોને મોટા લોકોની મહેરબાની પર જીવવું પડે છે. સામાજિક ન્યાયનું આ ખુલ્લું અતિક્રમણ છે. તે જ રીતે હિંસાને છૂટો દોરે. યથાર્થ સત્યના આલંબન વિના ક્યારેય સમસ્યાનું સમાધાન ન થઈ શકે. કડવું સત્ય જ આ છે કેઃ જે, દૃષ્ટિકોણ સહયોગ માટેનો છે, તેવી જ ભાવના વહેંચણી વખતે જળવાય. જો આમ થઈ શકશે, તો સમતાપૂર્ણ, શોષણમુક્ત સમાજની રચના સંભવિત બનશે અને એક અહિંસક સમાજની નવરચના થઈ શકશે અને તે લોકતંત્રની સ્વસ્થતા માટે વરદાન સાબિત થશે જ.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org