SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્ર કોણ? પ્રશ્ન થાય છે, કઈ વ્યક્તિને સ્વતંત્ર માનવી ? અથવા તો કઈ વ્યક્તિ સ્વતંત્ર ગણાય ? સમાજનું કોઈ ઘટક સ્વતંત્ર નથી, તેનું દરેક અંગ સમાજ સાથે જોડાયેલું છે. જેનું હૃદયપરિવર્તન થયેલું છે, તે વ્યક્તિ સ્વતંત્ર છે. જેણે પોતાના સંવેગો નિયંત્રિત કરી લીધા છે, તે વ્યક્તિ સ્વતંત્ર છે. પદાર્થજગતમાં સ્વતંત્રતાની એક પરિભાષા છે. તે પણ બાહ્ય જગત સાથે જોડાયેલી જ છે. સ્વતંત્રતાએ ભ્રમ એટલો વ્યાપક કર્યો છે કે, વાસ્તવિક સ્વતંત્રતા ઉપર આવરણ ચઢાવી દીધું છે. સ્વતંત્રતાનો અર્થ છે ? આંતરિક ગુલામી ન હોવી. કેવળ વસ્તુ અને પદાર્થજગતના ઉપભોગને જ સ્વતંત્રતા સાથે જોડવામાં આવ્યો, તેથી વિષમતાનું સમાધાન થયું નહિ. અહિંસાની દષ્ટિએ બાહ્ય જગતની સ્વતંત્રતા અને આંતરિક જગતની સ્વતંત્રતા બંને પર વિચાર થવો જરૂરી છે. આંતરિક સ્વતંત્રતાનો અર્થ આંતરિક સ્વતંત્રતાનો અર્થ છે : હૃદયપરિવર્ત અથવા માનસિક પ્રશિક્ષણ. હૃદયપરિવર્તન સિવાય ન્યાયોચિત વહેંચણીની વાત સંભવિત બનતી નથી. ઘણા ભાગે લોકો ગરીબોને સહાય કરે છે, મદદ કરે છે, જેથી ગરીબી હિંસાનું સ્વરૂપ ધારણ ન કરે. અહિંસાના આવા પ્રયોગો ચાલે છે, પરંતુ એની સાથે આંતરિક પરિવર્તનની વાત જોડાયેલી નથી. પરિસ્થિતિજન્ય કારણો હિંસાને જન્મ આપે છે. એક બાજુ સાધનો વિપુલ પ્રમાણમાં છે. જ્યારે બીજી બાજુ સાધનો અલ્પ છે. આવી પરિસ્થિતિમાં હિંસાનાં બીજ અંકુરિત થાય છે. પ્રશ્ન એ છે કે, પરિસ્થિતિનું સીમાકરણ કરવામાં આવે, તો શું હિંસા મટી જશે ? બંધ થઈ જશે ? તે ધરમૂળથી નહિ મટે, પરંતુ તેની તીવ્રતા જરૂર સમાપ્ત થઈ જશે. જવાબદાર છે વ્યક્તિનું મન શું સાધન-સંપન્ન દેશોમાં હિંસા નથી ? આપણે જો સંપન્નતાની સાથે અહિંસાની વ્યાપ્તિનો સ્વીકાર કરીશું તો ખૂબ મોટી ભ્રાંતિ પેદા થશે છે. સંપન્નતાને કારણે જે વિપન્નતાજનિત હિંસા થાય છે તે ઓછી થાય છે, પરંતુ વ્યક્તિનું મન હિંસાનું મૂળ ઉપાદાન છે. એને બદલ્યા સિવાય, અહિંસાની સંભાવના વિચારી નથી શકાતી. પહેલાં વિચાર આવે છે, પછી ક્રિયા થાય છે. પહેલાં વિકલ્પ સામે આવે છે, પછી આચરણ થાય છે. વિચારનું ઉદ્ગમ મસ્તિષ્કમાં થાય છે. જ્યાં સુધી મગજને પ્રશિક્ષિત ન કરી દેવાય, ત્યાં સુધી અહિંસક સમાજરચનાની વાત સાર્થક નથી બનતી. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy