SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રો બની ગયાં. આ દૃષ્ટિકોણે કેટલાક લોકોને ભોગી બનાવી દીધા. કેટલાક લોકોને અભાવગ્રસ્ત અને દીન-હીન બનાવી દીધા. ભોગવાદી દૃષ્ટિકોણ ખરેખર એક વિકટ પ્રશ્ન બની ગયો. અધિકારની મનોવૃત્તિ ચોથી સમસ્યા છે ઃ અધિકારની મનોવૃત્તિ. નાનામાં નાનું પ્રાણી, છોડ-ઝાડ, બધામાં અધિકારની વૃત્તિ રહેલી છે.આ મૌલિક મનોવૃત્તિ છે. સઘળી સમસ્યાઓનું મૂળ છે ઃ અધિકારની મનોવૃત્તિ. આમાં દરેકનો સમાવેશ થઈ જાય છે. આને સંગ્રહ અથવા પરિગ્રહની મનોવૃત્તિ પણ કહે છે. વ્યક્તિ સૌને પોતાના અધિકારમાં રાખવા માંગે છે. વ્યક્તિની આવી મનોવૃત્તિથી અનેક પ્રશ્નો જટિલ બને છે અહિંસાના પ્રશિક્ષણનો અર્થ આપણે કેવળ અર્થવ્યવસ્થાને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, નવી પ્રણાલીઓને વિકસાવવા પર ધ્યાન આપીએ અને ભાવજગતની બિલકુલ ઉપેક્ષા કરીએ, તો સમસ્યાનું સમાધાન ક્યારેય થવાનું નથી. સમસ્યાના સમાધાન માટે બંને બાજુઓ ૫૨ ધ્યાન આપવું પડશે. વસ્તુજગત અને ભાવજગત બંને સાચાં છે. આપણે એક સત્યને માનીને ચાલીએ અને બીજાને નકારી દઈએ, તો એકતરફી આગ્રહ થઈ જાય છે, અને સમસ્યાનું સમાધાન થતું નથી. સમાધાન ત્યારે જ થાય, જ્યારે બંને સત્યને સાથે રાખીને ચાલીએ. એક બાજુ વસ્તુજગતમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ ભાવ-જગતમાં પરિર્વતનનો પ્રયત્ન કરાય તો જ કંઈક સમાધાન તરફ આગળ વધાય. અહિંસાના પ્રશિક્ષણનો અર્થ પણ આ બંને સત્યો સાથે જોડાયેલ છે. વસ્તુજગતમાં પરિવર્તન ન થાય, તો હિંસા વધે છે. ભાવજગતમાં પરિવર્તન ન થાય તો હિંસાને ભડકવાની વધારે તક મળે છે. મૂલ્યવાન છે : “ભાવજગત’ આપણે અનેકાન્તનો પ્રયોગ કરીએ, બંને સત્યોને એકસાથે સમજીએ, સાચો નિર્ણય લઈએ, તો બીમારીનું સાચું નિદાન થશે. કેવળ વસ્તુજગત જ સર્વસ્વ નથી. એની સાથે ભાવ-જગતનું પણ ઘણું મૂલ્ય છે. જો આપણું ભાવજગત કોઈ પણ પ્રશ્ન વગરનું હશે, તો વસ્તુજગત પણ પ્રશ્નો વગ૨નું હશે જ, બંને જગત સ્વચ્છ-સુંદર જણાશે. વસ્તુજગતથી પણ વધારે મૂલ્યવાન છે ઃ ભાવજગત. જો ભાવજગત સ્વસ્થ હશે, તો વસ્તુજગતનું શુદ્ધીકરણ કરવામાં ઘણી સુવિધા રહેશે. ગૂંચવાડો સર્જાયો છે ઃ ભાવજગતમાં અને તેની અસર પડે છે ઃ વસ્તુજગત Jain Education International લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૭૯ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy