SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાનો હેતુ અન્યત્વનું જ્ઞાન, એકત્વનું જ્ઞાન અને અનિત્યતાનું જ્ઞાન- આ ત્રણે સૂત્રોએ હૃદયપરિવર્તનના માર્ગ મોકળા કરી દીધા. કેવળ રાજનૈતિક પ્રણાલી અથવા પ્રશાસનિક પ્રણાલી હૃદયને નથી બદલી શકતી. સમસ્યા એ થઈ કે વ્યવસ્થાઓ ઘણી વધી પણ હૃદયના પરિવર્તનના પ્રશિક્ષણનો ઉપક્રમ ના ચાલ્યો. એક પ્રકારે વિકલાંગપણું આવી ગયું. એક પગ ચાલતો રહ્યો, બીજો પાછો પડતો ગયો. જો વ્યવસ્થાની સાથે ધર્મનો યોગ કરવામાં આવ્યો હોત તો એક નવી દિશા મળી હોત, એક નવા મનુષ્યનો જન્મ થયો હોત અને એક નવો સમાજ આકાર પામ્યો હોત. સમાજવાદનું સત્ય: મૂડીવાદનું સત્ય ઘણી વાર એવું બને છે કે, માનવી સત્યાંશને પકડીને તેને જ સત્ય માની લે છે. એક સત્યાંશ છે ? ઉત્પાદનનાં સાધનો પર સમાજનો અધિકાર રહેશે. બીજો સત્યાંશ છે ? ઉત્પાદનનાં સાધનો પર વ્યક્તિનો અધિકાર રહેશે. એક સમાજવાદી સત્ય છે, બીજું મૂડીવાદી સત્ય છે. સચ્ચાઈ બંનેમાં છે, પણ બંનેમાં આંશિક સચ્ચાઈ છે. આંશિક સત્યને સમગ્ર માની લેવામાં આવ્યું છે અને તેથી બંને અધૂરાં રહી ગયાં છે. નવા સમાજના નિમણિમાં આપણે અનેકાંતનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે. આવું કરવાથી જ નવા સમાજના નિમણિની સંભાવના પુષ્ટ બનશે. અનેકાન્તનો મત અનેકાંતનો મત છે કે કોઈ સત્યાંશને સંપૂર્ણ માનીને ન ચાલો. ઉત્પાદન પર સમાજનો અધિકાર હોય, એ સચ્ચાઈ ક્યારે ફલિત થાય ? જ્યારે વ્યક્તિમાં સહકારની ભાવના જગાડવામાં આવે અને એ ભાવના જગાડાય કે સૌએ શ્રમ કરવાનો જ છે, ત્યારે આ સચ્ચાઈ સાકાર બને છે. દરેક વ્યક્તિમાં વ્યક્તિ-ચેતના કામ કરે છે, અને તેની સામે પ્રણાલી છે ? સહકારની, આ સ્થિતિમાં અંતર્વિરોધ પેદા થાય છે. મૂડીવાદી પ્રણાલીમાં એવું પણ માનવામાં આવ્યું છે કે વ્યક્તિ સ્વાર્થી હોય છે. તે સ્વાર્થની હદથી આગળ નથી વધી શકતી. આ સત્યાંશ છે, પરંતુ આ વાતને ભૂલાવી દેવામાં આવી છે કે, તે કેવી રીતે પોતાના જીવનમાં સ્વાર્થની પવિત્રતા લાવે ? તે કેવી રીતે સ્વાર્થના દોષને ઓછો કરે ? પોતાનું હૃદય કેવી રીતે બદલે ? એના ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું. આ બંને એકાંગી- એકતરફી પ્રકલ્પોએ સમસ્યાને ઉકેલવામાં સહકાર નથી આપ્યો. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy