________________
ઘર્મપ્રતિપાદનનો ઉદ્દેશ
બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય ભારતની ગરીબી માટે જવાબદાર છે એ પ્રતિપાદનમાં સત્યાંશ છે. બુદ્ધ ધર્મનું પ્રતિપાદન નિવણ માટે, મહાવીરે ધર્મનું પ્રતિપાદન મોક્ષ માટે અને શંકરાચાર્યે ધર્મનું પ્રતિપાદન બ્રહ્મમાં લીન થવા માટે કર્યું હતું. આ ત્રણે પ્રવચનોનો સામાજિક ભૂમિકા સાથે પ્રત્યક્ષ કોઈ જ સંબંધ નથી. એ ત્રણેનો સીધો સંબંધ આત્માની અવસ્થા સાથે છે. જો આ ત્રણેનો સંબંધ સામાજિક ભૂમિકા સાથે હોત, તો તેમના અનુયાયીઓની સ્થિતિ અસામાજિક હોત અને આર્થિક સ્થિતિ સર્વાધિક કમજોર હોત. પરંતુ પ્રત્યક્ષ દર્શન આનાથી વિપરીત છે.
સમાજઃ વર્તમાન સ્થિતિ
બૌદ્ધ ધર્મના અનુયાયી દેશ જાપાન આજે આર્થિક દૃષ્ટિએ વિશ્વનો પ્રથમ પંક્તિનો દેશ છે. જાપાને છઠ્ઠી શતાબ્દીમાં બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. જાપાનના ઔદ્યોગિક ચમત્કાર ઉપર બૌદ્ધ ધર્મનો પ્રભાવ સ્પષ્ટ રૂપે સ્વીકારાયો છે. હડતાળ, ઘેરાવ, તાળાબંધી વગેરે આજની ઔદ્યોગિક સભ્યતાનાં પ્રતીક ગણાય છે. આવા સંજોગોમાં ઔદ્યોગિક શાન્તિ સૌને માટે આશ્ચર્યનો વિષય બની છે. જાપાનના ચારિત્ર્ય-વિકાસનો આધાર બૌદ્ધ ધર્મ મનાય છે. આજે પણ જાપાની વ્યક્તિ પોતાના પુરુષાર્થની સામે ઈશ્વરના ઊભા રહેવાનું પસંદ કરતી નથી. ઈશ્વરની ઇચ્છા સિવાય પાંદડું પણ હાલતું નથી, એનાથી ઊલટું તેઓએ પરિશ્રમની ઇચ્છા સિવાય એક પાંદડું પણ હાલતું નથી, એ ચારિત્રનો વિકાસ કરેલ છે.
ભારતીય સમાજમાં જૈન સમાજ સંપન્નતાની દષ્ટિએ કોઈનાથી પાછળ નથી. આ સમાજમાં ન કોઈ ભિખારી છે, ન ભૂખથી પીડિત છે, અથવા નથી કોઈ ગરીબીની રેખા નીચે જીવન જીવનાર. જો ગરીબી માટે મહાવીરનું દર્શન જવાબદાર હોત તો સહુથી પહેલાં જૈન સમાજ એ ગરીબીનો શિકાર બનત.
શંકરાચાર્યજીના અનુયાયી વેદાન્તી પણ આર્થિક દષ્ટિએ કમજોર નથી.
ગરીબીનું કારણ
સામાજિક સ્થિતિનું અધ્યયન કરતાં ખ્યાલ આવે છે કે, સમાજમાં ધર્મના કારણે ગરીબી નથી, પરંતુ સમાજ-ધર્મનું યોગ્ય રીતે પાલન નહીં થવાને કારણે છે. મોક્ષ-ધર્મ ક્યારેય સમાજ-ધર્મનું સ્થાન લઈ ન શકે, તે જ રીતે આત્મ ધર્મ પણ. અને આ બંનેએ સમાજ-ધર્મનું સ્થાન લેવું પણ ન
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org