________________
११
ભારતની ગરીબી માટે કોણ જવાબદાર ?
ગુજરાતીમાં એક લેખ વાંચ્યો, લેખક છે ગુણવંત શાહ. શીર્ષક હતું : ભારતની ગરીબી માટે મહાવી૨, બુદ્ધ અને શંકરાચાર્ય જવાબદાર છે, દોષિત છે. અનેકાંતનું દર્શન જો મારી સામે ન હોત, તો લેખ વાંચતાં જ, તાત્કાલિક પ્રતિક્રિયા જન્મી હોત, ‘લેખ જૂઠાણાંથી ભરપૂર છે.” અનેકાંતથી મળી છે અનોખી દૃષ્ટિ, જે દરેક બાબતમાં સત્યનો અંશ શોધવાની પ્રેરણા આપે છે. લેખનાં મુખ્ય પાત્રો છે ઃ બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય. આ ત્રણેના જીવન-દર્શનની ફળશ્રુતિ છે : જીવનનો નકાર (નેગેશન ઑફ લાઈફ).
જીવનના બે પક્ષ
જીવનના બે પક્ષ છે : સકારાત્મક અને નકારાત્મક, કામ અને અર્થ જીવનનાં સકારાત્મક પાસાં છે. ધર્મ અને મોક્ષ જીવનનાં નકારાત્મક પાસાં છે. આ બંને સકારાત્મક અને નકારાત્મક પાસાં મળીને જીવનને પરિપૂર્ણ બનાવે છે.
ભૌતિક વિકાસ માટે કામ અને અર્થ જરૂરી છે અને આ ભૌતિક વિકાસની સાથે આવનારી વિકૃતિઓ ને દૂર કરવા માટે ધર્મ અને મોક્ષની અવધારણા જરૂરી છે. ગુણવંત શાહના લેખમાં સત્યાંશ નથી એમ ન જ કહેવાય. ધાર્મિક જગતમાં સમાજ અને ધર્મની ભૂમિકાનો ભેદ સ્પષ્ટ નથી. ધાર્મિક લોકો, સમાજની ભૂમિકામાં સામાજિક કર્તવ્યને નકારી રહ્યા છે. ગરીબીની વ્યાખ્યા ધર્મને આધારે કરવામાં આવે છે. જેણે બહુ જ ધર્મ કર્યો તે અમીર- ધનવાન બની ગયા. જેણે બહુ જ અધર્મ કર્યો, તે ગરીબ બની ગયા. અમીરી- ગરીબીનો સંબંધ ધર્મ સાથે જોડાયેલો છે. આમાં સમાજ-વ્યવસ્થાનો કોઈ ફાળો નથી. આવી ખોટી ધારણા એક ચિંતકને એમ વિચારવા માટે વિવશ કરે છે, કે ધર્મ ગરીબને ગરીબી ભોગવવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છે, ગરીબીને દૂર કરવાની દિશામાં આગળ વધતાં કદમને અવરોધી રહ્યો છે.
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org