________________
સમસ્યાનું મૂળ : ગરીબી કે ચારિત્રિક પતન?
ગરીબીની સમસ્યા મોટી છે કે અપરાધની ? વિચારની એક લહેર જાગી, ગરીબીની સમસ્યા મોટી છે, એટલા માટે કે તે અપરાધને જન્મ આપે છે. બીજા તરંગે પ્રથમ તરંગનો પ્રતિવાદ કર્યો, અપરાધનું મૂળ ગરીબીમાં નથી, આસક્તિમાં છે.
આવશ્યકતા અને આસક્તિ
આવશ્યક્તા અને આસક્તિ વચ્ચે ભેદરેખા દોરવાનું જાણતા નહિ હોવાથી, દરેક વખતે અપરાધ ગરીબીનો વાઘો ચઢાવીને (ગરીબીનું મહોરું પહેરીને) સામે આવે છે. પ્રત્યેક સમજદાર વ્યક્તિ ગરીબીને હટાવવાની ચિંતા કરે છે. આસક્તિ તરફ એનું ધ્યાન નથી જતું. આસક્તિ પાણીમાં લીલની માફક તરતી રહે છે. ગરીબી અને અપરાધ બંને નગરની પરિક્રમા કરે છે.
દૈહિકઆવશ્યકતા
આસક્તિએ આવશ્યકતાના ક્ષેત્રને વિસ્તૃત બનાવી દીધું. એવા બહુ ઓછા લોકો છે જે આવશ્યકતાની પૂર્તિ માટે કંઈક કરે છે. મોટા ભાગના લોકો આસક્તિના ખપ્પરને ભરવા માટે પ્રવૃત્તિ કરે છે અને આ ખપ્પર કયારેય ભરાતું નથી. આ અપૂર્ણતાની વેદી પર અપરાધ જન્મ લે છે.
ખોરાક, પાણી, કપડાં, મકાન- આ દૈહિક આવશ્યકતાના વર્ગમાં છે. આ આવશ્યકતા વાસ્તવિક હોય છે.
કાલ્પનિક આવશ્યકતા
કાલ્પનિક આવશ્યકતાનો સંબંધ મનોજગત સાથે છે. તે વાસ્તવિક નથી હોતી. જીવન માટે તેની અનિવાર્યતા નથી હોતી. નશાની પ્રવત્તિ કાલ્પનિક આવશ્યકતા છે, જે આજની ભીષણતમ્ સમસ્યા છે અને ગરીબીના મુખ્ય કારણરૂપ છે. હજારો-લાખો પરિવારો નશાની પ્રવૃત્તિને કારણે અભાવની જિંદગી જીવે છે. નશાથી ઘેરાયેલા અભિભાવક પોતાનાં
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org