SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. જે ત્યાગની ઉદાત્ત ભાવના અને ચેતના ભારતીય માનસમાં હતી, તેને આ સુવિધાવાદે નષ્ટ કરી દીધી. જો આપણે સહિષ્ણુતાની ભાવનાને વિકસાવીએ, સુવિધાવાદી દષ્ટિકોણને ઓછો કરીએ તો શક્ય છે કે, ભ્રષ્ટાચાર અથવા અર્થનો અત્યારે જે અનાચાર છે, તેમાં પણ પરિર્વતન આવે. ત્યાગની શક્તિ વધે દિલ્હીમાં મૈત્રી દિવસનું આયોજન થયેલું હતું. એનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે કહ્યું, “ આચાર્યશ્રી! જો તમે મને કોઈ પદ આપવા માંગો તો હું અણુવ્રતના સમર્થકનું પદ લેવા માગું છું.” આચાર્યશ્રી એ તત્કાળ કહ્યું, “રાજેન્દ્રબાબુ ! હું તમને સમર્થકનું પદ આપવા નથી ઇચ્છતો, આપ અણુવ્રતીનું પદ મેળવવો એવું ઇચ્છું છું. ભારતના રાષ્ટ્રપતિ અણુવ્રતી હશે, તો ત્યાગની પરંપરા ભારતીય રાજનીતિમાં પ્રગતિ કરશે.” મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, ત્યાગની શક્તિ કેવી રીતે વધે ? ત્યાગની ચેતના કેવી રીતે જાગે ? જે ભોગવાદ, સુવિધાવાદી દષ્ટિકોણ અને ભ્રષ્ટાચાર વધી રહેલા છે, તે ઓછા કેવી રીતે થાય ? રાષ્ટ્રની અપેક્ષા સમાચારપત્રમાં વાંચ્યું. ધર્મને રાજનીતિથી અલગ પાડવાનું વિધેયક લાવવામાં આવી રહ્યું છે. કેટલું સારું થાત જો આના બદલે ધનને અલગ કરતું વિધેયક લવાયું હોત ! એમાં વધારે પરિવર્તન ન કરવું પડ્યું હોત, કેવળ ૨કા૨ને હટાવવાનો અને મકારનો નકા૨ ક૨વાનો હતો. જો આવું વિધેયક લાવવામાં આવત અને ધનને રાજનીતિથી અલગ કરાત, તો સમગ્ર દેશનું વાતાવરણ બદલાઈ જાત અને વિશ્વનું વાતાવરણ પણ બદલાઈ જાત. ભ્રષ્ટાચારને દૂર કરવાના દેશના સંકલ્પને બળ મળત. આજે ખરેખર, પુનર્વિચારણાની જરૂર છે. વિચારણા માટે ત્યાગી, તપસ્વી જોઈએ, સૂઝ-બૂઝ અને અંતર્દષ્ટિવાળી તેમજ કામ કરવાની ઊંચી ક્ષમતાવાળી વ્યક્તિ જોઈએ. ત્યાગ અને પ્રતિભા બંને મળીને કંઈક કરે, તે આજના લોકતંત્ર માટે આવશ્યક છે. લોકતંત્ર શુદ્ધ અને પવિત્ર રહી શકે એવા વાતાવરણની નિતાંત અપેક્ષા છે. ત્યાગ, નૈતિકતા, પ્રામણિકતાની શક્તિને રાજકરણથી અલગ કરવામાં આવશે તો શું બચશે ? આજે સાચેસાચ એક અપેક્ષા છે, ત્યાગની શક્તિ દ્વારા વાતાવરણને બદલવામાં શક્તિ કામે લાગે, એમાં અણુવ્રત અને આચાર્ય તુલસીનો યોગ હોય. એનાથી લોકતંત્રના વિશુદ્ધીકરણની શક્યતા પ્રબળ બની જશે. આજે રાષ્ટ્રની આ જ અપેક્ષા છે અને આ અપેક્ષાની અનુભૂતિ લોકતંત્રની પવિત્રતાનું સબળ આશ્વાસન છે. લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy