SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. મૂળ સમસ્યા છે ઃ સુવિધાવાદી દૃષ્ટિકોણ, અનેક વિદેશી આક્રમણો થયાં, આપણી સંસ્કૃતિનો નાશ કરવાના પ્રયત્નો પણ થયા, તેમ છતાં કોઈ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિને કોઈ જ આઘાત નથી આપી શક્યા, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં મોટીમોટી કંપનીઓ, બહુ ઉદ્દેશીય, બહુ રાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉપલબ્ધ અધિકતમ સુવિધાપૂર્ણ સાધનો દ્વારા ચેતનાને જે રીતે સુષુપ્ત કરી દીધી છે, કદાચ આ અગાઉ કોઈ આટલી સુષુપ્તતા નહિ લાવી શક્યું હોય. સુવિધાવાદી દૃષ્ટિકોણ એટલી હદે ફેલાઈ ગયો છે, જેની કોઈ સીમા નથી. કોઈપણ વ્યક્તિ મંત્રી બનશે તો શું કરશે ? સમાજની દરેક વ્યક્તિ જ જ્યારે સારામાં સારી સુવિધાઓ ભોગવી રહેલ હોય, તો મંત્રી એમાંથી કેવી રીતે બચી શકે ? આ સુવિધાઓ જ ભષ્ટ્રાચારની સમસ્યાનું મૂળ છે. આ જ સમસ્યા છે શ્રી પારસભાઈ જૈન, અણુવ્રત સમિતિના અધ્યક્ષ હતા. એક દિવસ તેઓ પોતાના મિત્રને મળવા ગયા. તે મિત્ર પહેલાં મંત્રી હતા, પછી મંત્રી પદ પરથી છૂટા કરી દેવાયા. પારસભાઈને મળવા આવેલા જોઈને પેલા ભાઈ રડવા લાગ્યા. પારસભાઈએ કહ્યું “શી વાત છે ? આપ મોટા માણસ છો, આપે ઘણાં કામ કરેલાં છે, આપ રડો છો કેમ ?” મિત્રે કહ્યું, “પારસભાઈ, બીજી કંઈ વાત નથી, પણ મારો છોકરો, છોકરી કોલેજ-સ્કૂલમાં ગાડીમાં બેસીને જતાં હતાં. મારી પાસે કેટલા માણસો આવતા હતા, જતા હતા. આજે હવે હું મંત્રી નથી, તેથી ગાડી છિનવાઈ ગઈ. મારાં બાળકો હવે કઈ ગાડીમાં જાય ? જો હું તેમને કોઈ રિક્ષા કે ઘોડાગાડીમાં મોકલું તો સારું ન લાગે. નથી કોઈ પૂછવા આવતું કે નથી કોઈ મળવા આવતું. આ સમસ્યા મને રડાવી દે છે. મૂળ સમસ્યા છે સુવિધાવાદી દૃષ્ટિકોણ મૂળ સમસ્યા છે આ સુવિધાવાદી દૃષ્ટિકોણની. ભગવાન મહાવીરે સૌથી વધારે આના પર પ્રહાર કર્યો છે. પ્રશ્ન થયો, દુર્ગતિ કોની થાય છે ? મહાવીરે કહ્યું, “જે વ્યક્તિ સુખ અને સુવિધા માટે આકુળ રહે છે, જે પ્રિય સંવેદનો માટે વ્યાકુળ રહે છે, જે વધારે ઊંઘે છે, આરામદાયી જીવન જીવે છે એને સુગતિ દુર્લભ હોય છે.” सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसायिस्स । उच्छोलणा पहोइस्स, दुल्लहा सुग्गई तारिसगस्स ॥ જે વ્યક્તિનો દૃષ્ટિકોણ સુખ-સુવિધા અને આરામનો બની જાય, તેને વધારે સુખ-સુવિધા અને આરામ જોઈએ. આવી વ્યક્તિની ચેતના સુષુપ્ત લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy