________________
બાળકોની ભણવાની વ્યવસ્થા નથી કરી શકતા. તેઓ દવા-દારૂ અને ખોરાકની વ્યવસ્થા કરવામાં પણ અસફળ રહે છે. પ્રસાધન સામગ્રી પ્રત્યે વધેલું આકર્ષણ કાલ્પનિક આવશ્યકતાના વર્ગનું છે. તે પણ વાસ્તવિક આવશ્યકતાની પૂર્તિમાં બાધક બને છે.
આકાંક્ષાનો વર્ગ
ત્રીજો વર્ગ આકાંક્ષાનો છે. તેનો સંબંધ ઈન્દ્રિય-જગત સાથે છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે : શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. ઈન્દ્રિયની પ્રેરણાથી આકાંક્ષા ઉત્પન્ન થાય છે, તેની પૂર્તિ માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. આ વૈજ્ઞાનિક યુગે આકાંક્ષા-પૂતિની સાધનસામગ્રી અતિ માત્રામાં ઉપલબ્ધ કરાવી છે. પરિણામ એ આવ્યું કે, આકાંક્ષાની પૂર્તિએ હવે ઘોર અતૃપ્તિનું સ્વરૂપ લીધું છે. આજનો વિદ્યાર્થી ટી.વી. જોવામાં જેટલો રસ લે છે, એટલો રસ ભણવામાં લેતો નથી. આજનાં બજારો જીવનની અતૃપ્તિને વધારનારી એટલી બધી સામગ્રીઓ વેચે છે, કે જે શરીર માટે, જીવન માટે જરૂરી નથી. આ આકાંક્ષાના વર્ગનો પણ પરોક્ષપણે ગરીબીને વધારવામાં હાથ છે.
આસક્તિનો વર્ગ
આસક્તિનો વર્ગ ભાવ-જગતુના સ્તરે કાર્ય કરે છે. મનુષ્ય સિવાય બીજાં બધાં જ પ્રાણીઓ જ્ઞાનની અપેક્ષાએ ભાવના સ્તર પર વિશેષ જીવે છે. મનુષ્યમાં બાકીનાં તમામ પ્રાણીઓ કરતાં જ્ઞાન અધિક વિકસિત છે, તેમ છતાં તેનું આચરણ અને વ્યવહાર જ્ઞાનથી એટલાં પ્રભાવિત નથી હોતાં, જેટલાં ભાવ-ચેતનાથી પ્રભાવિત હોય છે. આસક્તિનો પ્રભાવ ખૂબ અધિક છે. એના સામ્રાજ્યમાં યથાર્થની આવશ્યકતા પડદા પાછળ જતી રહે છે અને કાલ્પનિક આવશ્યકતાને ખુલ્લંખુલ્લા રમવાની તક મળી રહે છે. આ સમસ્યામાં સામાજિક પ્રતિષ્ઠાના મૂલ્ય અને માપદંડ સામે આવે છે. અમુક વ્યક્તિ દુનિયાની સર્વશ્રેષ્ઠ ધનિક- ધનાઢ્ય વ્યક્તિ છે. તેની પાસે દશ હજાર કરોડ ડૉલર્સ છે. અમુક વ્યક્તિ પાસે આઠ હજાર કરોડ રૂપિયા છે. આ બધા પ્રતિષ્ઠાસૂચક આંકડા ગરીબને એવી રીતે પોષે છે, જેવી રીતે મા પોષે છે પ્યાર અને વાત્સલ્યથી પ્યારા પુત્રને ! આ આસક્તિના કારણે જન્મ લેતા આર્થિક સંગ્રહને નથી કોઈ રાજ્યસત્તા રોકી શકતી, કે નથી કોઈ અર્થશાસ્ત્રીય નિયમ એને નિયંત્રિત કરી શકતો. આને રોકનાર એક જ સત્તા છે અથવા નિયમ છે, અને તે છે : અતીન્દ્રિય ચેતનાના સ્તર ઉપર ઉત્પન્ન થનારી અનાસક્તિ
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ 1 કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org