SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-નિરપેક્ષ રાજ્યનો ધર્મ ધર્મ-નિરપેક્ષ રાજ્યની કલ્પના આપણે એ વાત પર ધ્યાન આપીએ. કે. ધર્મનિરપેક્ષ રાજ્યની કલ્પના શી છે ? અણુવ્રતનો ધર્મ-નિરપેક્ષ રાજ્ય સાથે ગાઢ આત્મ-સંબંધ છે. ધર્મ-નિરપેક્ષ રાજ્યના બે મૂળ સિદ્ધાંત છે. પહેલો છે, ધર્મ આંતરિક વિશ્વાસની બાબત છે. તે બાહ્ય શક્તિ અથવા દંડશક્તિનો વિષય નથી. તે દરેક વ્યક્તિની આંતરિક ચેતનાનો વિષય છે, વિશ્વાસ છે. બીજો સિદ્ધાંત છે, ધર્મ અને રાજનીતિના પાર્થક્યમાં વિશ્વાસ. આ બે સિદ્ધાંતો કેમ વિકસ્યા, તેની પણ આપણે વિચારણા કરીએ. ઇતિહાસનો સંદર્ભ લઈએ. એક સમયે, રાજાનો જે ધર્મ હોય તે જ બધાએ પાળવાનો રહેતો, રાજધર્મ ચાલતો હતો. જ્યાં રાજ્યધર્મની સ્વીકૃતિ હોય, ત્યાં ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર કુઠારાઘાત-દમન અવશ્ય સંભવિત છે. તે વખતે કોઈપણ વ્યક્તિ સ્વતંત્ર ધર્મનું પાલન નથી કરી શકતી. ઇતિહાસમાં એક નોંધ છે- એક રાજાએ ઘોષણા કરી દીધી કે મારા રાજ્યમાં મારા ધર્મ સિવાયના બીજા ધર્મના કોઈ માણસો રહી શકશે નહિ. આ જોહુકમીપૂર્વક ધર્મપરિવર્તનની વાત હતી, અથવા રાજ્યની સાથે ધર્મને જોડવાની વાત હતી- પ્રવૃત્તિ હતી. એમાં રાજનીતિ અને ધર્મ બે નહોતાં રહ્યાં. એક થઈ ગયાં હતાં. ધર્મ વ્યક્તિની સ્વતંત્રતાનો વિષય નહોતો રહ્યો, તે રાયને આધીન બની ગયો હતો. બહુ લાંબા ગાળા સુધી આ સ્થિતિ ચાલી. ધર્મના નામે ન જાણે કેટકેટલા અનર્થ થયા, હજારો-લાખો માણસોની, ધર્મના નામે કતલ કરી નાખી. આ ચક્ર ચાલતું રહ્યું, તેનું ઔચિત્ય સમજણની બહાર છે. વ્યક્તિગત સ્વતંત્રતાનો પ્રશ્ન વસ્તુતઃ ધર્મ રાજ્યથી ઉપરની વસ્તુ છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડી દેવામાં આવે ત્યારે અંધેર સિવાય બીજું શું સંભવી શકે ? લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy