SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં ધર્મ અને રાજનીતિ બંને એક થઈ જાય છે, ત્યાં ઉજ્વળ દિવસો આવતા નથી. ધર્મનિરપેક્ષ રાજ્યને જ ઉજ્જવળ પ્રકાશ મળે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ વાત છે- સૂત્ર છે- કે ધર્મ અને રાજનીતિના પાર્થક્યમાં વિશ્વાસ હોય. આપણે એ વાતનો સ્વીકાર કરીએ કે ધર્મ અને રાજનીતિનું ગઠબંધન ન થવું જોઈએ. જ્યાં પણ ધર્મ સાથે રાજનીતિ જોડાય છે, ત્યાં માનવીય સ્વતંત્રતાનું પતન થયા વગર નથી રહેતું. ત્યાં ધાર્મિક પરતંત્રતાનો ત્રાસ ભોગવવો પડે છે, ધર્મ-પરિવર્તનનું કુચક્ર ચાલે જ અને ધર્મને નામે હિંસાનો દોર પણ ચાલે જ. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ. આજનું સમાજ-વિજ્ઞાન દરેક વ્યક્તિની સ્વતંત્રતાને સ્વીકારે છે. લોકતંત્ર સ્વતંત્રતાનું પક્ષપાતી બનેલું છે. આ સ્થિતિમાં ધર્મ અને રાજનીતિ બંનેને એક કરવાની વાત સમજમાં નથી આવતી. “ધર્મનિરપેક્ષ રાજ્ય’ શબ્દ ભ્રામક જરૂર છે, પરંતુ તેના જે સિદ્ધાંત છે, તે બહુ જ ઉપયોગી છે. મૂળ હાર્દ ધર્મનિરપેક્ષ રાજ્યનું મૂળ હાર્દ એ છે કે રાજ્ય, ધર્મની બાબતે કોઈ જ હસ્તક્ષેપ નહીં કરે. તે કોઈપણ ધર્મને માન્યતા નહિ આપે. તમામ ધર્મોને સમાન ગણાશે. દરેક ધર્મ સાથે સમાન વ્યવહાર કરશે, કોઈ ધર્મની સાથે ભેદભાવ નહિ રાખે. તે રાજ્યના સંચાલનમાં સામાજિક વિકાસનો ખ્યાલ રાખશે. ભૌતિક-સંસાધનોનો વિકાસ કઈ રીતે થઈ શકે ? પ્રજાની પીડા કઈ રીતે દૂર થઈ શકે વગેરે વિષયો માટે ત્યાં સુધી ચિંતિત રહેશે, જ્યાં સુધી કોઈ ધર્મ, સમાજવિકાસમાં અવરોધ પેદા ન કરે. દરેક વ્યક્તિને ધર્મની પૂરેપૂરી સ્વતંત્રતા છે. કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ ગમે તેની ઉપાસના કરે, સરકાર તરફથી એ બાબતે કોઈ જ પ્રતિબંધ નહીં હોય, આ છે ધર્મનિરપેક્ષ રાજ્યની પરિકલ્પના. શો છે રાજ્યનો ધર્મ? પ્રશ્ન ઉપસ્થિત થયો, રાજ્યનો કોઈ ધર્મ નથી. આ સ્થિતિમાં શું ધર્મ વિના રાજ્ય વ્યવસ્થિત ચાલશે ? શું રાજ્યનો કોઈ ધર્મ જ ન હોવો જોઈએ ? આ એક સમસ્યા પણ છે. રાજ્યના જે મૂળભૂત સિદ્ધાંતો છે, તેમાં શક્તિ અને ધર્મની જરૂરિયાતને સ્વીકારેલ છે. ધર્મ વિના રાજ્યનું સંચાલન બરાબર નથી થઈ શકતું. જ્યાં ધર્મ નથી ત્યાં લૂંટફાટ ચાલવાની, મત્સ્ય-ન્યાય થવાનો, બળવાન કમજોરને પજવશે. ધર્મનિરપેક્ષ રાજ્યનો અર્થ એ નથી કે તેમાં ધર્મ નહિ ચાલે અથવા ધર્મને માન્યતા નહિ આપે. એનો અર્થ એ છે કે તે ધર્મને માન્યતા આપશે, પરંતુ તે માન્યતા નૈતિક લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy