________________
રાજનીતિનો ધર્મ
આચાર્ય ભિક્ષુએ બસો વર્ષ પહેલાં કહેલું, “ધર્મ, સમાજ અને રાજ્યની નીતિનું મિશ્રણ ન થવું જોઈએ.” એ વખતે કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ધર્મ અને રાજનીતિને અલગ કરવા માટે સરકારે સંસદમાં વિધેયક પસાર કરવું પડશે. સરકારે ધર્મની બાબતમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ, તે નિર્વિવાદ સત્ય વાત છે. ધર્મે રાજ્યની બાબતમાં હસ્તક્ષેપ ન કરાય, એ સત્યને પણ આપણે સ્વીકારવું જ રહ્યું. જ્યારથી ધર્મ ગૌણ બન્યો અને સમ્પ્રદાય મુખ્ય ગણાયો ત્યારથી ધર્મ રાજ્ય માટે સળગતી સમસ્યા બની ૨હ્યો છે. જો ધર્મનું પ્રાધાન્ય જળવાય અને સમ્પ્રદાય ગૌણ બાબત બની રહે, તો સંસદના ચોકમાં ધર્મ અને રાજનીતિને અલગ કરનારું વિધેયક ન આવત.
શું ધર્મ જરૂરી નથી ?
આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, રાષ્ટ્રની આઝાદીના સમયે ગણાધિપતિ તુલસીએ એક કાવ્યની રચના કરેલી, જેની એક પંક્તિ નીચે મુજબ છે ઃ
“રાજનીતિ સે પૃથક્ સદા હૈ, દ્વેષ રાગ સે ધર્મ જુદા હૈ.”
જિજ્ઞાસાનો એક સ્વર જાગ્યો, શું રાજનીતિ માટે ધર્મ જરૂરી નથી ? આ પ્રશ્નનો વિભજ્યવાદી શૈલીમાં જવાબ આપવામાં આવ્યો. રાજનીતિ માટે ધર્મ જરૂરી છે પણ, અને નથી પણ. જો રાજનીતિમાં ધર્મ હોય તો તે રાજનીતિમાંથી રાગ અને દ્વેષ જેવી વિકૃતિઓ દૂર કરવા માટે છે, અને જો રાજનીતિમાં સમ્પ્રદાય હોય, તો રાજનીતિ માટે તે જરૂરી નથી જ. સાંપ્રદાયિક દૃષ્ટિકોણે કેટકેટલાં યુદ્ધ કરાવ્યાં અને કેટલો નરસંહાર થયો એનો સાક્ષી છે દોઢથી બે હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ.
ધર્મનાં બે રૂપ
બુદ્ધિશાળીઓનો ધર્મ માટેનો એક આરોપ છે ઃ ધર્મે મનુષ્યજાતિને
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org