________________
વિભક્ત કરી છે, યુદ્ધભૂમિમાં ઉતારી છે અને ધરતીને રક્તરંજિત કરી છે. આ આરોપની યથાર્થતાને નકારી ન શકાય, તેમ તેને સંપૂર્ણ સત્ય પણ ન કહી શકાય. ધર્મનાં બે સ્વરૂપ છે ઃ
(૧) આધ્યાત્મિક અથવા ચરિત્ર ધર્મ (૨) સંસ્થાગત ધર્મ.
આધ્યાત્મિક ધમ ઉક્ત આરોપથી સર્વથા મુક્ત છે. એણે વિશ્વ-મૈત્રીનો શંખનાદ કર્યો અને “વસુધૈવ કુટુમ્બકમ્"ના નાદને વિશ્વવ્યાપી બનાવ્યો છે. સંસ્થાગત ધર્મ અથવા સંગઠનાત્મક ધર્મોએ સંઘર્ષો અને યુદ્ધોને વારંવાર આમંત્ર્યાં છે. તે ધર્મ રાજ્યસત્તા ઉપર પોતાનો અધિકાર જમાવતો રહ્યો છે. તેણે રાજ્યસત્તાને આત્મસાત કરેલ છે, તેથી ન ધર્મ વિશુદ્ધ રહ્યો, ન રાજનીતિ સ્વચ્છ રહી શકી. ધર્મનો વિચાર કરતી વખતે આ બંને સ્વરૂપોને નજર સમક્ષ રાખવાં જરૂરી છે. એ સિવાય આપણે ન ધર્મ સાથે ન્યાય કરી શકીએ. ન રાજનીતિ સાથે.
કર્ણધાર નહીં
રાષ્ટ્રના સંચાલન માટે રાજનીતિનું ખૂબ વિશેષ મૂલ્ય છે. તે જ રીતે પવિત્ર રાષ્ટ્રીય વાતાવરણ માટે ધર્મ બહુ મૂલ્યવાન છે સંસ્થાગત ધર્મે તો આ બંનેની ઉપેક્ષા જ કરી છે. રાજ્યની સત્તા એક ધર્મગુરુના હાથમાં હોય, તો અહિંસાના સ્થાને હિંસા આસન જમાવે છે અને, સત્યના સિંહાસન પર અસત્ય પકડ જમાવે છે. આધ્યાત્મિક સંત રાજ્ય માટે પથ-દર્શક જરૂર બની શકે, પણ તેઓએ રાજ્યની વ્યવસ્થા માટે કર્ણધાર, આધાર, સૂત્રધાર ન બનવું જોઈએ
ગાંધીજીએ કહ્યું, “જે મનુષ્ય એમ કહે કે, “ધર્મનો રાજનીતિ સાથે કોઈ સમ્બન્ધ નથી, તે ધર્મને નથી જાણતો, એવું કહેવામાં મને સંકોચ નહીં થાય અને આવું કહેવામાં અવિનય પણ નથી કરતો.” ગાંધીજીના આ સિદ્ધાંત ઉપર આપેક્ષ દષ્ટિએ વિચારવું આવશ્યક છે. ધર્મનો રાજનીતિ સાથે સંબંધ જરૂર છે, પરંતુ તે એક નથી જ. રાજનીતિ રાષ્ટ્રની વ્યવસ્થા માટે છે. ધર્મનો નૈતિક પક્ષ વ્યવસ્થાના વિશુદ્ધીકરણ માટે છે. રાજનીતિએ ધર્મના નૈતિક પક્ષ અથવા ચરિત્રથી પ્રભાવિત થવું જોઈએ. આ ધર્મ અને રાજનીતિના સમ્બન્ધનું અતકણીય પાસું છે. જ્યારે રાજનીતિએ ધર્મના ઉપાસના પક્ષ અથવા સામ્પ્રદાયિક પક્ષથી અલગ રહેવું જોઈએ, તે કોઈ સામ્પ્રદાયિકતા દ્વારા સંચાલિત ન હોવી જોઈએ. આ રાજનીતિ અને ધર્મના સંબંધને નકારનારી બાબત છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org