________________
તો તમારે બે વખત નમસ્કાર કરવા જોઈએ ને ?”
ત્યારે શાહુકાર બોલ્યો, “અરે મૂર્ખ, પરમ દિવસે એકલું તાંબુ હતું, સમજ્યો ? કાલે એકલી ચાંદી હતી, ચાંદીનો સિક્કો. તે પણ ઠીક, સમજ્યા હવે. તે બંને અલગ-અલગ હતાં અને નકલી ન હતાં, પરંતુ આજે આ સિક્કામાં તાંબા ઉપર ચાંદીનો ઢોળ ચડેલો છે, તેથી તે ખોટો છે. ખોટો રૂપિયો કોઈના કામનો નહિ.”
સામાજિક કતવ્યનું પોતાનું મૂલ્ય છે, આત્મ-ધર્મનું પોતાનું મૂલ્ય છે. બંને પોત-પોતાની ભૂમિકા પર કામ કરે, તો બંનેનું મૂલ્ય છે. સમાજ-ધર્મ અને આત્મ-ધર્મ બંનેનું મિશ્રણ થઈ જાય તો બંને પોતાનું મૂલ્ય ગુમાવે છે.
મહાત્મા ગાંધીએ કહ્યું, મારા માટે ધર્મહીન રાજનીતિ નર્યો કચરો-કૂડો છે અને સદેવ ત્યાજ્ય છે. રાજનીતિનો સંબંધ રાષ્ટ્રો સાથે છે, અને જેનો સંબંધ રાષ્ટ્રોના કલ્યાણ સાથે હોય, તેમાં ધાર્મિક પ્રવૃત્તિના પુરુષોએ રુચિ લેવી જોઈએ.
રાજનીતિ ઘર્મથી પ્રભાવિત થાવ
આચાર્ય ભિક્ષનું ચિંતન હતું, સામાજિક કર્તવ્ય અને ધર્મનું મિશ્રણ ના થવું જોઈએ. જ્યારે મહાત્મા ગાંધી ધમહીન રાજનીતિને કૂડો-કચરો માનતા હતા. આ બંને વિચારો શું ભિન્ન દિશાગામી નથી ? ઘણા બધા ચિંતકો કહે છે, “સમાજ-વ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા ધર્મ દ્વારા સંચાલિત હોવી જોઈએ.” આમ થાય તો તે પવિત્ર રહી શકે. આ ચિંતનના સત્યાંશનો આપણે અસ્વીકાર નથી કરતા, પરંતુ તે પૂર્ણ સત્ય નથી. ધર્મ અને સમાજ-કર્તવ્યનું મિશ્રણ વાસ્તવમાં સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન એ છે કે, સમાજ સમાજ-ધર્મ દ્વારા, રાષ્ટ્ર રાષ્ટ્રધર્મ દ્વારા શાસિત અથવા સંચાલિત હોય. તે ધર્મ દ્વારા સંચાલિત ન હોય, પરંતુ ધર્મ દ્વારા પ્રભાવિત હોય. મહાત્મા ગાંધીએ પણ પ્રભાવિત થવાની વાત સ્વીકારી છે, “હું નથી માનતો કે આધ્યાત્મિક નિયમ પોતાના સ્વતંત્ર ક્ષેત્રમાં કામ કરે છે. એનાથી ઊલટું તે કેવળ જીવનનાં સામાન્ય કાર્યો દ્વારા જ વ્યક્ત થાય છે.” આમ તે આર્થિક, સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રોને પ્રભાવિત કરે છે.
રાષ્ટ્રીય કર્તવ્ય રાષ્ટ્રીય કર્તવ્યોની સૂચિ નીચે પ્રમાણે બને છે? (૧) ગરીબી દૂર કરવી (૨) રોજગારી આપવી
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org