________________
આત્મ-ધર્મ, સમાજ-ધર્મ અને રાષ્ટ્ર-ધર્મ
ધર્મની પ્રાચીન અવધારણા (માન્યતા).
આત્મા, પુનર્જન્મ, મોક્ષ ઉપર ભારતીય દર્શનોમાં વિશદ્ વિચાર થયેલો છે. પાશ્ચાત્ય દર્શનોમાં આ મુખ્ય વિચારણીય વિષયો નથી રહ્યા. આત્મા અને ઈશ્વર ઉપર કેટલાક દાર્શનિકોએ વિચાર કર્યો, પરંતુ મોક્ષ, પ્રાયઃ વિચારનો વિષય નથી બન્યો. ભારતીય દર્શનોનો મુખ્ય વિષય, એમનું મુખ્ય લક્ષ્ય - સાધ્ય મોક્ષ રહ્યું છે. મોક્ષનો અર્થ છે, તમામ બંધનોમાંથી મુક્તિ, સૂક્ષ્મ-સ્થૂળ સઘળાં શરીરોમાંથી મુક્તિ. મોક્ષપ્રાપ્તિની સાધન-સૂચિમાં અનેક તત્ત્વો છે, એમાં એક તત્ત્વ છેઃ ધર્મ.
સાંખ્ય દર્શનના મત અનુસાર ધર્મ સ્વર્ગનું સાધન છે, મોક્ષનું નહિ. કર્મથી મોક્ષ નથી મળતું. સારાં-ખરાબ તમામ કમ બંધન પેદા કરે છે, શુભ કર્મોથી સ્વર્ગ અને અશુભ કર્મોથી નરક મળે છે. સ્વર્ગ અને નરક પણ દુઃખમય છે.
धर्मेण गमनमूर्य, गमनमधस्ताद् भवत्यधर्मेण । ज्ञानेन चापवर्गो, विपर्ययादिष्यते बंधः ॥ ન્યાય દર્શન અનુસાર તત્ત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
વૈશેષિક દર્શને મોક્ષની વિચારણામાં ધર્મને સ્થાન આપ્યું છે. કણાદની વ્યાખ્યા છે, જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ મળે છે, તે ધર્મ છે.'
બૌદ્ધ દર્શનમાં આર્ય અષ્ટાંગિક માર્ગને નિવાર્ણ-પ્રાપ્તિનો માર્ગ કહ્યો છે.
જૈન દર્શનમાં ત્રણ અથવા ચાર માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ દર્શાવેલ છે. સમ્યકજ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય. અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ.
આચાર્ય ભિક્ષુએ મોક્ષમાર્ગના આધારે અહિંસા, દયા વગેરેનું વિશ્લેષણ કર્યું છે તેથી તેમના સાહિત્યમાં વારંવાર, “આ મોક્ષનો માર્ગ
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org