________________
અધિકાર રાજનીતિ અને રાજનેતાઓએ લઈ લીધો છે. તર્કશાસ્ત્રનો તે અતિ-પ્રસંગ છે. જે કાર્ય બુદ્ધિશાળી વર્ગનું હોય, તે કાર્ય રાજકારણીના હાથમાં જાય તે ઇચ્છનીય નથી જ.
પ્રસ્તાવિત અધિનિયમ
સમાજને ચલાવવાના નિયમોનું નિધરિણ ફક્ત સરકાર જ કરે, તે સીમાનું અતિક્રમણ છે, બુદ્ધિશાળી વર્ગની અકર્મણ્યતાનું પરિણામ છે. સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક નિયમોના નિધરણ વખતે બુદ્ધિશાળી વર્ગનો મત નથી મેળવાતો તેને વૈચારિક કૃપણતા સિવાય બીજું શું કહેવાય ? પ્રસ્તાવિત અધિનિયમનું નામકરણ- ધર્મને રાજનીતિથી અલગ કરવો- પાછો એ જ ભ્રમ પેદા કરે છે, જે ભ્રમ ધર્મનિરપેક્ષતા શબ્દએ પેદા કર્યો છે. જાતિ, સમ્પ્રદાય અને ભાષાની કટ્ટરતા એક જ વિષવૃક્ષનાં ફળો છે. જો આ વિષફળોના નિવારણનો એકસાથે પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો સમસ્યાના ઉકેલની સંભાવના અધિક હોત. ચૂંટણીના સમયે જાતિ, ભાષા અને સમ્પ્રદાયનો સહુથી વધારે ઉપયોગ કરનારા રાજકીય પક્ષો રાજનીતિને ધર્મથી અલગ કરવાની વાત કરે અને કોઈ એવો જ અધિનિયમ પ્રસ્તુત કરે, એને સંવિધાન અને રાષ્ટ્રનું સદ્ભાગ્ય નહીં કહી શકાય.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org