________________
ભારતના પ્રાચીન રાજનીતિજ્ઞોએ કામ અને અર્થની વ્યવસ્થાને જેટલાં આવશ્યક કહ્યાં એટલાં જ શાસક માટે, કામ, ક્રોધ, મોહ વગેરે છ પ્રકા૨ના અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા તથા ઈન્દ્રિયો પર નિગ્રહ કરવાનું જરૂરી ગણ્યું છે. આ ધર્મ-સાપેક્ષતાનો સિદ્ધાંત રાજનીતિના શુદ્ધીકરણનો સિદ્ધાંત છે. એનાથી સમન્વિત ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત અધિક સ્પષ્ટ બને છે.
બુદ્ધિશાળી વર્ગનું મૌન
ધર્મનિરપેક્ષતા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયમાં બુદ્ધિશાળી વર્ગ પણ પ્રાયઃ મૌન રહ્યો એટલે મોટે ભાગે એકાંગી વ્યાખ્યાઓ થતી રહી. આવશ્યક છે કે આપણે ફક્ત પાશ્ચાત્ય વિચારકોની ભાષામાં જ પુનઃ ઉચ્ચારણ ન કરીએ, પરંતુ આપણું પોતાનું સ્વતંત્ર ચિંતન પણ વ્યક્ત કરીએ. વ્યક્તિ-નિરપેક્ષ સમાજ અને સમાજ-નિરપેક્ષ વ્યક્તિની પરિભાષાએ જ આપણી સમજમાં ગુંચવાડા પેદા કરેલા છે. વ્યક્તિસાપેક્ષ સમાજ અને સમાજ-સાપેક્ષ વ્યક્તિનો વિચાર જ સમાજવાદની અવધારણાને નવું સ્વરૂપ આપી શકે તેમ છે.
ધર્મ અને દર્શન સંસ્કૃતિના એક પક્ષ છે. સંસ્કૃતિમાં તે બધા પક્ષોનો સમાવેશ થાય છે, જે ભાષા અથવા પ્રતીકો દ્વારા સંપ્રેષણીય બને છે. હિન્દુ, મુસલમાન અને ઈસાઇ- તેમની ધાર્મિક અવધારણા અલગ હોઈ શકે છે, પરંતુ સંસ્કૃતિનાં અનેક પાસાં તેમનાં એક છે. હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન બુદ્ધિવાદના સ્તરે થયો હોત તો વધારે સફળ થાત. રાજ્કીય સ્તરે આ પ્રયત્ન શક્ય ના બન્યો અને તેની સફળ થવાની સંભાવના પણ નથી.
હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ બધા સમાજ પોતાના અસ્તિત્વની સુરક્ષા પ્રત્યે જાગૃત છે, તેમાં સંઘર્ષ, ઘૃણા, વૈમનસ્ય માટે કોઈ જ અવકાશ નથી. તે સમાજાન્તરણ, અથવા સમાજ-પરિવર્તનનો પ્રયત્ન કરતા હોય ત્યારે સંઘર્ષ અને કલહની ભાવના ગાઢ બને છે, દુશ્મનીભર્યું વાતાવરણ સર્જાય
છે.
ધર્માન્તરણ ઃ સમાજારણ
અમારી દૃષ્ટિએ ધર્માન્તરણ અને સમાાન્તરણ એક નથી. ધર્માન્તરણ વૈચારિક સ્વતંત્રતાનો પ્રશ્ન છે. ધર્મ-પરિવર્તન સાથે જો જાતિ, સમાજ આદિની સમગ્ર વ્યવસ્થા બદલાઈ જાય, તો પછી તે કેવળ ધર્માન્તરણ ન રહેતાં સમાજાન્તરણ બની જાય છે. બુદ્ધિશાળી વર્ગ આ ધર્માન્તરણની સમસ્યાને ઉકેલવામાં સક્રિય યોગદાન આપે તો, રાષ્ટ્ર અનેકગણું વધારે સંગઠિત બની શકે. આજે પ્રત્યેક સમસ્યાને ઉકેલવાનો
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org