________________
ઘર્મ, સપ્રદાય અને સંસ્કૃતિ
ધર્મ અને સમ્પ્રદાય એક નથી. સમ્પ્રદાય ધર્મની વ્યાખ્યા અથવા સંપ્રેષણની ગુરુ-પરમ્પરા છે. મ્યાન તલવારની રક્ષા માટે છે, પરંતુ મ્યાન અને તલવાર બંને એક ન કહેવાય. છોતરું ફળની સુરક્ષા માટે છે, પરંતુ ફળના ગર્ભને અને છોતરાને એક જ તુલનામાં ન તોલી શકાય. સંપ્રદાય ઉપયોગી છે પરંતુ સાંપ્રદાયિક કટ્ટરતાએ જે ધૃણા અને હિંસાનું તાંડવ રચ્યું છે, તેનાથી સંપ્રદાયનો પવિત્ર અર્થ આજે પોતાની પવિત્રતા ખોઈ બેઠો છે. અંગ્રેજી ભાષામાં ધર્મનો અર્થ રિલીજન કરવામાં આવે છે, પરંતુ મોક્ષ માટેના પુરુષાર્થના સંદર્ભમાં જે ધર્મની ધારણા છે, તેને આ શબ્દરિલીજન પૂર્ણ રીતે વ્યક્ત કરવામાં સમર્થ નથી.
સંસ્કૃતિ વ્યાપક તત્ત્વ છે. ધર્મ તેના પરિવારમાંનું એક તત્ત્વ હોઈ શકે છે. પરંતુ સંસ્કૃતિ સાથે ધર્મને સીધો કોઈ જ સંબંધ નથી.
ભારતીય ચિંતનની એ દુર્બળતાને હું સ્વીકારું છું કે અહીં સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ ને વિકસાવવામાં નથી આવ્યા. મોક્ષ-ધર્મ, જે સમાજ અને રાજ્યની વ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે, શાસિત નથી કરી શકતો, એના પ્રત્યે અધિક ધ્યાન આપવામાં આવ્યું છે.
અપરિભાષિત ધર્મ-નિરપેક્ષતા
લોકતંત્રીય શાસનપ્રણાલીમાં રાજ્યસત્તા પર કોઈ સામ્પ્રદાયિકતાનો અધિકાર ન હોવો જોઈએ. આ લોકતંત્રના સ્વાથ્યનું પ્રથમ લક્ષણ છે. ભારતીય સંવિધાનમાં આ સ્વાથ્યને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે, પરંતુ ધર્મ, સમ્પ્રદાય, પંથ અને નિરપેક્ષતા વચ્ચે કોઈ જ ભેદરેખા દોરવામાં નથી આવી, એનો સ્પષ્ટ અર્થ ૨જૂ નથી કરાયો. આ અપરિભાષિત ધર્મનિરપેક્ષ અથવા સેક્યુલરિઝમ સંશય અને ભ્રાંતિના ચકરાવામાં રહ્યો. આજે પણ એ પ્રશ્નવાચક છે, વિવાદથી મુક્ત નથી. રાજનીતિને ધર્મથી અલગ કરનારું વિધેયક પણ અપરિભાષિત છે તેમાં સમ્પ્રદાય અને ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં નહીં આવે તો તે પણ સાર્થક થવાને બદલે નિરર્થક વિવાદ અને વિતંડાને જ જન્મ આપશે.
ઘર્મ-સાપેક્ષતાનો સિદ્ધાંત
ધર્મ-નિરપેક્ષતાની સાથે-સાથે ધર્મ-સાપેક્ષતા તરફ પણ આપણું પૂરતું ધ્યાન હોત તો સંવિધાન ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરાની વધારે નજીક હોત. રાજ્યનું કાર્ય કામ અને અર્થની વ્યવસ્થા કરવાનું છે, પરંતુ તે વ્યવસ્થાથી ઊભી થતી વિકૃતિઓને દૂર કરવાનું કામ પણ રાજનીતિનું છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org