________________
ધર્મ અને રાજનીતિનું કંઠ
અલગતાનો પ્રશ્ન
મારે માટે ધર્મથી અલગ કોઈ રાજનીતિ નથી. મારો ધર્મ સાર્વભૌમ અને સહનશીલ ધર્મ છે, અંધવિશ્વાસ અને ખોખલાપણાનો ધર્મ નથી. તે ધર્મ પણ નહીં, જે ધૃણા કરે છે અને લડે છે. નૈતિકતાથી અલગ હોય તેવી રાજનીતિને ત્યજી દેવી જોઈએ.” - મહાત્મા ગાંધીજીનો આ વિચાર આજે પણ અત્યંત પ્રાસંગિક છે. ધર્મ અને રાજનીતિમાં અલગતાની આવશ્યકતાના પ્રશ્નને સાપેક્ષ દષ્ટિએ મૂલવવો જોઈએ. સાંપ્રદાયિક કટ્ટરતા અને ધર્મને આપણે એક જ આંખથી જોઈએ તો રાજનીતિ અને ધર્મની અલગતાની આવશ્યકતા લોકતંત્રનો પ્રથમ ઉચ્છુવાસ છે. જો ધર્મને આપણે સત્ય, અહિંસા તથા નૈતિકતાની દષ્ટિથી વિચારીએ તો રાજનીતિ ધર્મથી શૂન્ય થઈને ભયની ચેતવણીની ઘંટડીથી વિશેષ કંઈ જ નથી. ગાંધીજીએ સ્વયં સ્વીકાર્યું છે કે, “ધર્મનો અર્થ કટ્ટરપંથ નથી. ધર્મનો અર્થ છે, વિશ્વની એક નૈતિક સુવ્યવસ્થામાં શ્રદ્ધા.” તે અદષ્ટ છે. તેથી તેની મહત્તા બિલકુલ ઓછી ન આંકી શકાય. તે હિન્દુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ઈસાઈ ધર્મ વગેરે ધર્મોથી અલગ જ છે. આ ધર્મ પેલા ધમનો છેદ ન ઉડાડતાં, સઘળા ધર્મોનો સમન્વય કરીને તે દરેકને વાસ્તવિક ધર્મ બનાવે છે.”
ગણાધિપતિ તુલસીએ એક વાર કહેલું. “ધર્મને પ્રથમ સ્થાન અને સમ્પ્રદાયને બીજું સ્થાન આપવામાં આવે તો જ ધર્મ, સમાજ અને રાજ્ય માટે પ્રકાશ-પુંજ બની શકે.”
વર્તમાન પ્રવાહમાં સત્ય, અહિંસા તથા નૈતિકતાવાળો ધર્મ કોઈ અજ્ઞાત ખૂણામાં છુપાઈને બેઠો છે અને સામ્પ્રદાયિકતાનું મહોરું પહેરેલો ધર્મ પ્રચારમાં આગળ વધી રહ્યો છે. આ અવસ્થામાં તથાકથિત ધર્મ અને રાજનીતિની અલગતાની આવશ્યકતા ચિંતનશીલ વિચારશીલ) અને તટસ્થ વ્યક્તિને જણાઈ રહી છે અને જણાવી જોઈએ જ.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org