________________
લોકતંત્રને સંભાળી લેનાર પવિત્ર હાથ
લોકતંત્રનો વિકલ્પ શો હોઈ શકે ?” - એક પત્રકારે મને પૂછ્યું . મેં કહ્યું, “લોકતંત્રનો વિકલ્પ શું કામ શોધો છો ?” શાસનતંત્રની જેટલી પણ પ્રણાલિકાઓ છે તે સર્વમાં સૌથી સારો વિકલ્પ છે લોકતંત્ર. એની શ્રેષ્ઠતા હજુ સમાપ્ત નથી થઈ. પછી વિકલ્પની શોધ શા માટે ? વિકલ્પ શોધવો જોઈએ લોકતંત્રને ચલાવનારા પવિત્ર હાથે માટે, જે હાથ. લોકતંત્રની દોરને પકડતાં ધ્રૂજી રહ્યા છે.
યોગ્યતાની કસોટી
લોકતંત્રે સત્તાને એટલી ગતિશીલ બનાવી છે કે તે જાતિ, સમ્પ્રદાય, ગરીબી, અમીરી આ બધાથી ઉપરવટ જઈને યોગ્ય વ્યક્તિની વરણી કરી શકાય છે. આ લોકતંત્રના ચરિત્રનું સૌથી ઊજળું પાસું છે, પરંતુ લોકતંત્રને ચલાવનારા હજુ યોગ્યતા માટેની કોઈ યોગ્ય કસોટી નક્કી નથી કરી શક્યા. યોગ્યતાની બે કસોટીઓ હોઈ શકે છે : ચારિત્ર્ય બળ અને બૌદ્ધિક ક્ષમતા. ખબર નથી પડતી, શા માટે આ બે કસોટીઓની મૈત્રી હજી સુધી લોકતંત્ર સાથે નથી થઈ શકી ? સત્તા અને પ્રશાસનની ખુરશી ઉપર બેઠેલા લોકોનો અર્થ (નાણાં) પ્રત્યેનો પ્રેમ અને લગાવ બતાવી આપે છે કે, લોકતંત્રના સારથિનું ચારિત્ર્યબળ ઉન્નત નથી. અર્જુનને મહાભારતની રણભૂમિમાં યોગ્ય સારથિ મળી ગયા, પરંતુ આપણા લોકતંત્રનો અર્જુન હજુ પણ યોગ્ય સારથિની શોધમાં છે.
મહાભારત ખેલાઈ રહ્યું છે, પરંતુ અર્જુનને સારથિ નથી મળી રહ્યો. અર્થ (નાણાં)નો સકંજો
કેટલાક દિવસ અગાઉ ચીનના આર્થિક ગોટાળાની ચર્ચા વાંચી. આ આર્થિક ગોટાળાની માયાએ જાપાનના એકથી વધારે પ્રધાનમંત્રીઓને સત્તા-મુક્ત કરી દીધા. ચીનમાં સામ્યવાદી શાસનપ્રણાલી છે. આટલી નિયંત્રિત પ્રણાલીમાં પણ આર્થિક ગોટાળા એ આશ્ચર્યની વાત છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજL ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org