SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ SERIES RESER જરૂરી છે લોકતંત્રનું શુદ્ધીકરણ દેશ ક્યાં જઈ રહ્યો છે ? આ પ્રશ્ન પૂછું છું મારી જાતને અને પૂછું છું બીજાંઓને, સર્વ કોઈને. એનો ઉત્તર કદાચ કોઈની પાસે નથી જ. એમની પાસે તો બિલકુલ નથી, જેમના હાથમાં દેશનું સુકાન છે. દેશની સમક્ષ અનેક સમસ્યાઓ છે ઃ ગરીબી, નિરક્ષરતા, વસ્તીવિસ્ફોટ, જ્ઞાતિવાદ, સામ્પ્રદાયિકતા. આ બધી સમસ્યાઓના સમાધાનમાં પ્રયત્નશીલ નેતા શું ઉપરના પ્રશ્નોના જવાબ આપી શકશે ? લોકતંત્રની કરોડરજ્જુ લોકતંત્રની કરોડરજ્જુ છે ચૂંટણી અને ચૂંટણીની કરોડરજ્જુ છે તેનું ઘોષણા પત્ર. ગરીબી હટાવો', મોંઘવારી પર નિયંત્રણ કરો,’ આ નારા લગાવતાં લગાવતાં ઘરડાં થવા આવ્યા, પરંતુ નથી ગરીબી દૂર થઈ કે નથી મોંઘવારી ઓછી થઈ. બંને સુરસા રાક્ષસીના મોંની જેમ મોટી થતી જાય છે, વધતી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે જે લોકો ગરીબી દૂર કરવાની અને મોંઘવારી ૫૨ નિયંત્રણ મેળવવાની વાત સાથે સત્તાની ખુરશી ૫૨ બેસે છે, તેઓ સત્તારૂઢ થયા પછી વ્યક્તિગત અહંની લડાઈઓમાં અટવાઈ જાય છે. જ્યારે મૂળ પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહી જાય છે. દીર્ઘ કાળથી કંઈક આવું જ બની રહ્યું છે. રાજનેતાઓનું ધ્યાન પોતાની ખુરશી બચાવવામાં રહે છે. તેમને રાષ્ટ્રીય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય જ નથી મળતો. સ્વતંત્રતા અને સંયમ લોકતંત્રીય પ્રણાલી માનવીય સ્વભાવ માટે એક પ્રકારનું સંમોહન છે. સ્વતંત્રતા મનુષ્યનો નિસર્ગ છે. એનું સમર્થન કરીને લોકતંત્રે મનુષ્યનું મન જીતી લીધું છે. સ્વતંત્રતાનું આધારભૂત પાસું છે : ‘સંયમ.’ એની ઉપેક્ષા કરીને લોકતંત્રએ સ્વતંત્રતાને મહત્ત્વાકાંક્ષાના રૂપમાં બદલી નાંખી છે. કોઈ અર્થશાસ્ત્રી અથવા કોઈ મનોવૈજ્ઞાનિક, મહત્ત્વાકાંક્ષાને ખરાબ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy