________________
સમાધાન અને આશ્વાસન
વર્તમાન લોકતંત્રની બે મોટી સમસ્યાઓ છે. તે સિવાય લોકતંત્ર મોટું સમાધાન પણ છે, તેથી લોકતંત્ર ચાલે છે, નભે છે. આ તંત્રમાં લોકોને એક આશ્વાસન છે. જો હું મારી યોગ્યતા વધારીશ, ક્ષમતા વધારીશ તો હું ખૂબ પ્રગતિ કરી શકીશ.આજે ખેડૂતનો દીકરો પણ પ્રધાનમંત્રી બની શકે છે. એક રિજન મોટામાં મોટો મંત્રી, રાષ્ટ્રપતિ બની શકે છે. મુસલમાન પણ મંત્રી, અધિકારી કે મુખ્યમંત્રી થઈ શકે છે. આ સૌથી મોટું આશ્વાસન છે લોકતંત્ર (લોકશાહી)નું. આમાં પરિવારગત પરમ્પરા સમાપ્ત થઈ ગઈ છે. રાજાનો પુત્ર ભલે ગમેતેવો જન્મ્યો, તે જ રાજા બને, એવી પરમ્પરા લોકતંત્રમાં નથી ચાલતી. લોકતંત્રનો સૌથી મોટો એક અધિકા૨ છે, કોઈપણ વ્યક્તિ મોટામાં મોટા મંત્રીને કે મોટામાં મોટા અધિકારીને ન્યાયાલયમાં લઈ જઈ શકે છે, તેને પડકારી શકે છે. જૂની કહેવત છે ઃ તે એની ભૂલો માટે ફરિયાદ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ પણ વરિષ્ઠ મંત્રી કે વરિષ્ઠ અધિકારીની આલોચના-નિંદા કરી શકે છે. એની વિરુદ્ધ ગમેતેવી વાત કહી શકે છે, કરી શકે છે.
મનુષ્યની પ્રકૃતિ અને લોકતંત્ર
સ્વતંત્રતા, ન્યાય, અધિકાર વગેરે એવાં સમાધાન છે, જેને કારણે એમ માની શકાય કે કેટલીક ખામીઓ હોવા છતાં, જો કોઈ શ્રેષ્ઠ શાસનપ્રણાલી હોય તો તે છે લોકતંત્રીય પ્રણાલી. તેથી જ સમગ્ર વિશ્વમાં લોકતંત્રીય પ્રણાલી પ્રસરતી રહી છે, વિકસી રહી છે. લોકતંત્રની આ એક નાનકડી મીમાંસા છે. આ કેવળ સમાજવ્યવસ્થાની મીમાંસા નથી, કેવળ રાજનૈતિક પ્રણાલીની મીમાંસા નથી, પણ મૂળ માનવીય પ્રકૃતિની મીમાંસા છે. મનુષ્યની જે મૂળભૂત- સ્વભાવગત પ્રણાલી છે તેની સાથે લોકતંત્રનો મેળ વધારે બેસે છે. બીજી રીતે એમ કહી શકાય કે આ મહાવીરના અનેકાંતવાદ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. એક હોય છે ઃ દર્શન. એક હોય છે દર્શનનું વ્યાવહારિક સ્વરૂપ. મહાવીરના દર્શનને લોકતંત્રમાં જે વ્યાપક ફેલાવો મળેલ છે, એમાં વ્યવસ્થા અને અધ્યાત્મ બંનેનો યોગ મળી રહે, તો અહિંસા, સાપેક્ષતા, શાંતિ વગેરે તત્ત્વો અધિક વિકસિત થઈ શકે છે. લોકતંત્રને ચલાવનાર લોકો અધ્યાત્મને પોતાની સાથે જોડી લે તો સોનામાં સુગંધ ભળશે.
Jain Education International
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org