SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અને લોકતંત્ર ભગવાન મહાવીર રાજતંત્રની પરમ્પરામાં નહોતા જન્મ્યા. તેઓ ગણતંત્રની પરંપરામાં જન્મ્યા હતા. ગણતંત્રની પરમ્પરાનો ઐતિહાસિક દષ્ટિએ આપણે અસ્વીકાર કેવી રીતે કરી શકીએ ? આપણે માનવું પડશે કે ઃ ભગવાન મહાવીર પર ગણતંત્રનો સંપૂર્ણ પ્રભાવ હતો. એનું તાત્ત્વિક સ્વરૂપ બન્યું અનેકાન્તવાદ, વ્યાવહારિક રૂપ કહેવાયું ગણતંત્ર અને, આજની ભાષામાં એ બની રહ્યું છે : લોકતંત્ર. સિદ્ધાંતો એક જ છે. તેના તે જ, જે સિદ્ધાંતો અનેકાંતના છે, તે જ સિદ્ધાંતો લોકતંત્રના છે. સમાનતા જૈનદર્શને સમાનતાનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો પ્રત્યેક પ્રાણી સમાન છે. લોકતંત્રનો આધારભૂત સિદ્ધાંત છે દરેક નાગરિક સમાન છે. જ્યાં આ સમાનતાના સિદ્ધાંતનું અતિક્રમણ થાય છે ત્યાં સર્જાય છે વિરોધ અને વિદ્રોહની પરિસ્થિતિ. સમસ્યા એ છે કે : દરેક વ્યક્તિ બીજાના અધિકારને માન્યતા આપવા નથી ઇચ્છતી. જ્યાં આ સ્થિતિ સર્જાય છે ત્યાં લોકતંત્ર વિકસિત થઈ શકતું નથી. જ્યાં અસમાનતાની ચેતના પ્રબળ રહે છે, ત્યાં અસહિષ્ણુતાને વિકસવાની - પાંગરવાની તક મળે છે. અને અસહિષ્ણુતાને વિકસવાની તક હોય છે ત્યાં, માનવીય સંબંધો વેરવિખેર થવા લાગે છે. માનવીય સંબંધોનું વેરવિખેરપણું લોકતંત્રના સ્વાથ્યને ગળી જાય છે જ્યાં સમાનતા છે, ત્યાં સહિષ્ણુતા છે જ. તે જ રીતે જ્યાં સહ-અસ્તિત્વ છે, ત્યાં સહિષ્ણુતા હોવી જરૂરી છે. પરંતુ સહિષ્ણુતાનો વિકાર સમાનતાની ચેતનાના ઉન્નયન દ્વારા જ શક્ય છે. લોકતંત્રને આજે એટલા માટે મહત્ત્વ મળ્યું કે એમાં સમાનતાનો સિદ્ધાંત પ્રતિષ્ઠિત છે. તે દરેક વ્યક્તિને પ્રિય છે. દરેક વ્યક્તિ સમાનતાની ભૂમિકામાં રહેવાનું પસંદ કરે છે. જ્યાં થોડીક પણ અસમાનતા આવે છે, ત્યાં ચિત્તમાં ઉદ્વેગ, વિક્ષોભ, શોકની લાગણીઓ જન્મ લે છે, અને તેથી જ સમાનતાને સમર્થન મળી રહ્યું છે. એ નિશ્ચિત છે કે, લોકતંત્ર, આટલું સુંદર છે છતાંયે તે પૂર્ણ તો નથી જ. પરિપૂર્ણ તો નિરપેક્ષ અવસ્થામાં જ હોઈ શકે છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે. તે પરિપૂર્ણ છે, પરંતુ આત્મા માનવી બની ગયો, તે પરિપૂર્ણ નથી કેમકે તે સાપેક્ષ છે. જે અસંખ્ય પ્રદેશો છે તે પરિપૂર્ણ છે. તે આત્માની સત્તા છે. વેદાન્તમાં બ્રહ્મ નિરપેક્ષ છે, પરિપૂર્ણ છે. પરંતુ માયા અને પ્રપંચ પરિપૂર્ણ ન બની શકે, ન રહી શકે. અને જ્યાં પરિપૂર્ણતા નથી, ત્યાં સમસ્યા અને સમાધાન બંને સાથે સાથે ચાલે છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy