SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનો, હતાશ થવાનો. એકલા રહેવાથી પણ સમસ્યાનું સમાધાન થતું નથી, અને બેકલા થવાથી પણ સમસ્યાનું સમાધાન નથી જ મળતું. સમસ્યાઃ અપૂર્ણતાની જ્યાં સુધી આ અપૂર્ણતાની સ્થિતિ છે, સમસ્યા છે ત્યાં સુધી શિવ, અચળ, અમર, અરુજની સ્થિતિનું સર્જન નથી થતું. સમસ્યા અને સમાધાન બંને સાથે-સાથે જ ચાલવાનાં. તંત્રનું હોવું પણ સમસ્યા છે અને તંત્રનું ન હોવું પણ સમસ્યા જ છે. આપણે એવું માનીને ચાલવાનું છે કે જીવન જીવવું હશે તો સમસ્યા અને સમાધાન બંનેની વચ્ચે જ જીવવાનું છે. લોકતંત્રનું પ્રાણતત્ત્વ માનવી સમસ્યા અને સમાધાન એમ બે કિનારા વચ્ચે જીવતો હોવાથી એવા પ્રયત્ન કર્યા જ કરે છે કે જીવનમાં સમસ્યાઓ ઓછી સર્જાય અને સમાધાન વધારે મળી રહે. આ દિશાના પ્રયત્નો કરતાં કરતાં લોકતંત્રનો ઉદય થયો. અનેક તંત્રો રચાયાં - પહેલાં કુળતંત્રની શરૂઆત થઈ. અનેક કુળો હતાં. દરેક કુળનો એક મુખી તેનો અધિશાસ્તા હતો. પછી રાજતંત્રનો ઉદય થયો. એક રાજા રહેતો અને બાકી બધી પ્રજા ગણાતી. રાજતંત્ર ખૂબ લાંબો વખત ટક્યું. વિશ્વના કાળક્રમના ઇતિહાસમાં ચિરકાળ સુધી ચાલનારું છે રાજતંત્ર. પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરીને ઐતિહાસિક કાળ સુધી રાજતંત્ર રહ્યું. આજે પણ કોઈક કોઈક સ્થળે “રાજતંત્ર’ જોવા મળે છે. ત્યાર પછી આવ્યું : અધિનાયક તંત્ર. ન રાજતંત્ર, ન લોકતંત્ર. કોઈ લકરી સૈનિક કે બળવાનશક્તિશાળી નેતા ક્રાંતિ કરે અને સઘળી સત્તાઓ પોતાના હાથમાં લઈ લે. વર્તમાન યુગ છે લોકતંત્રનો. લોકતંત્રમાં સહુ સરખા છે. જાતિ, રંગ, સમ્પ્રદાય કોઈ અવરોધ નથી. કયા રંગનો માનવી છે, કયા સમ્પ્રદાય કે કઈ જાતિની વ્યક્તિ છે એનો કોઈ પ્રશ્ન જ નહીં. દરેક વ્યક્તિને સમાનતા પ્રાપ્ત છે. સમાન અધિકારનું આ સૂત્ર લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે, આત્મતત્ત્વ છે, મૂળ આધાર છે. એટલે જ રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણજીએ કહ્યું હતું, “આજનું અર્થતંત્ર મહાવીર ભગવાનના સિદ્ધાંતો પર આધારિત છે.” આનાં, મુખ્ય કારણો છે : સાપેક્ષતા, સમાનતા, સહ-અસ્તિત્વ અને સ્વતંત્રતા. અનેકાંત સિદ્ધાંતની આ ચાર મુખ્ય ફળશ્રુતિઓ છે અને આ ચારેય સિદ્ધાંત લોકતંત્રના સિદ્ધાંતો પણ બની રહ્યા છે. કહી શકાય કે, ભગવાન મહાવીરે અનેકાંતનું જે દર્શન કરેલું, તે આજે લોકતંત્રમાં સામાજિક સ્વરૂપે ફળીભૂત બની રહ્યું છે. તે એક તત્ત્વજ્ઞાનનું દર્શન છે. એનું વ્યાવહારિક સ્વરૂપ છે : સામાજિક પ્રણાલી. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy