SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ કે રાષ્ટ્ર છે. જગતના કાઈપણ ખૂણામાં જે કોઈ હિન્દુ વસેલો છે, તેનું મૂળ હિન્દુસ્તાન જ છે, તેથી તેમનો વર્તમાન ભૂતકાળ સાથે જોડાયેલો છે. આમ રાષ્ટ્ર અને જ્ઞાતિ બંને વચ્ચે એક સ૨ળ અનુબન્ધ અને સંબંધ પ્રતીત થાય છે. સૌથી સારું છે, આપણે હિન્દુ શબ્દને રાષ્ટ્ર સાથે જોડી દઈએ. એનાથી આગળ વધવું હોય, તો જ્ઞાતિ સાથે જોડી શકીએ. તેથી આગળ ન વધીએ. પહેલો વિકલ્પ પોતે જ વ્યાપક છે. બીજો વિકલ્પ વ્યાપકતાને સીમિત કરે છે. વળી એના ત્રીજા વિકલ્પ તરફ આગળ વધવું એ એક વિશાળકાય (આદમકદ) અરિસાને અસંખ્ય ટુકડાઓમાં ખંડિત કરવા સમાન છે, જેમાં પોતાનું પ્રતિબિંબ પણ જોઈ ન શકાય. ૪. અલ્પસંખ્યક : બહુ સંખ્યક ( લઘુમતી અને બહુમતી ) શબ્દાર્થની દૃષ્ટિએ અલ્પસંખ્યક અને બહુસંખ્યક બંને શબ્દ સાર્થક છે, પરંતુ રાજનૈતિક દૃષ્ટિએ બંને શબ્દો ખૂબ જ ત્રુટિપૂર્ણ છે. રાજનીતિના ક્ષેત્રમાં આ શબ્દોનો ઉપયોગ ખૂબ ઓછો થયેલો છે. અધિકાંશતઃ આ શબ્દોનો દુરુપયોગ થયેલો છે. ઉત્તેજના ફેલાવવા માટે અને હિંસા ફેલાવવા માટે આ શબ્દો પર્યાય (વાહક) બની રહ્યા છે. જ્યારે આપણે અલ્પસંખ્યક (લઘુમતી) અને બહુસંખ્યક (બહુમતી) શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે, રાષ્ટ્ર ગૌણ અને જાતિયતા અને પ્રાંતીયતા પ્રધાન બની જાય છે. મુસલમાન ઈસ્લામના અનુયાયી છે. હિન્દુસ્તાનમાં ઈસ્લામના અનુયાયી અલ્પ સંખ્યામાં છે, અને (ઈસ્લામને) ન માનનારની સંખ્યા વધારે છે. આ અલ્પસંખ્યકતા અને બહુસંખ્યકતાનો આધાર ધર્મ-સંપ્રદાય છે, રાષ્ટ્રીયતા નહિ. રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ ન કોઈ અલ્પ સંખ્યામાં છે, ન અધિક સંખ્યામાં (બહુસંખ્યક) છે. અલ્પસંખ્યકોને પણ એ જ અધિકારો પ્રાપ્ત છે, જે બહુસંખ્યકોને. જ્યારે બહુસંખ્યકોને પણ એ જ અધિકારો પ્રાપ્ત છે, જે અલ્પસંખ્યકોને. ધાર્મિક વિશ્વાસને આધારે જૈનો અને બૌદ્ધો પણ અલ્પસંખ્યકો જ છે. વૈદિક ધર્મ પણ અનેક સમ્પ્રદાયોમાં વિભક્ત છે. બહુસંખ્યક કોણ છે એ નિર્ણય લેવો સરળ નથી. રાષ્ટ્રીય મંચ (રાજકીય તખ્તા) ઉ૫૨ અલ્પસંખ્યક અને બહુસંખ્યકનો પ્રયોગ ન થાય, એ રાષ્ટ્રના હિતમાં છે. ૫. સર્વધર્મ-સમભાવ આ પ્રયોગમાં સમભાવ’ શબ્દ અસ્પષ્ટ છે. એનાથી ભ્રાન્તધારણા ઉદ્ભવે છે. સમભાવ શબ્દનો અર્થ જો સૌને સમાન માનવાનો હોય તો તે યથાર્થથી ઘણો દૂર છે. પ્રત્યેક ધર્મની માન્યતાઓમાં ફરક હોય, તો તે લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy