________________
રાજ્યની વ્યવસ્થા મોક્ષધર્મ દ્વારા સંચાલિત કે શાસિત થવી જોઈએ. બીજી વિચારધારા એ છે કે સમાજ અને રાજ્યની વ્યવસ્થા મોક્ષધર્મ દ્વારા સંચાલિત કે શાસિત ન થઈ શકે. તેનું સંચાલન સમાજ અને રાજ્યધર્મ દ્વારા જ થવું જોઈએ. આનો અર્થ છે લક્ષ્યની ભિન્નતા-અલગતા. બે ભિન્ન લક્ષ્યોની પૂર્તિ એક જ સાધનથી ન થઈ શકે.
જે વિચારધારામાં સમાજ અને રાજ્યની વ્યવસ્થા તથા ધર્મની સાધનામાં ભિન્નતા નથી, ત્યાં સમાજ અને રાજ્યની વ્યવસ્થા અને આચાર-સંહિતાના નિયમોમાં ભેદભાવ ન હોય, એટલે અહીં ધર્મ અને કાયદાની વચ્ચે કોઈ ભેદરેખા નથી દોરી શકાતી.
ઘર્મનીતિ અને રાજનીતિની દિશાઓ
ધર્મની ધારણા સૌ કોઈની સમાન ન હોઈ શકે. રાજ્યની ધારણા સૌને માટે સમાન છે. એક રાજ્યમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. જો રાજ્યની વ્યવસ્થા ધર્મ દ્વારા સંચાલિત અથવા શાસિત હોય, તો કયા ધર્મ દ્વારા શાસિત હોય તે પ્રશ્ન સહજ રીતે જ થાય. એનો ઉત્તર સરળ નથી. ચારિત્રાત્મક ધર્મ સૌનો સમાન છે જ. તેથી તે દ્વારા રાજ્યની વ્યવસ્થાનું સંચાલન થઈ શકે, એ સ્થાપના પણ હમેશાં નિર્વિવાદ નથી. રાજ્યમાં કેટલાક લોકો શાકાહારી હોય છે, કેટલાક માંસાહારી. કેટલાક દારૂને વર્ષ ગણનારા હોય છે, કેટલાક દારૂ પીનારા પણ. રાજ્ય માંસ અને દારૂની પણ વ્યવસ્થા કરે છે. વિવાહસંસ્થાના નિયમો પણ દરેકના સમાન નથી હોતા. એક જ રાજ્યમાં કાયદો દરેકના માટે એકસરખો જ હોય છે, પણ ધર્મ માટેની માન્યતા સમાન નથી હોતી. નિવૃત્તિપ્રધાન ધર્મ વિવાહ વગેરે સંસ્કારોનું સમર્થન નથી કરતો. પ્રવૃત્તિપ્રધાન ધર્મ જન્મ, વિવાહ, મૃત્યુ જેવા સઘળા સંસ્કારોનું સમર્થન કરે છે. ધર્મના ક્ષેત્રમાં ઋજુતા (સરળતા) માન્ય છે, જ્યારે રાજ્યનીતિમાં કૂટનીતિનું પ્રયોજન પણ માન્ય છે. એવા અનેક પ્રસંગો છે, જેમાં રાજનીતિ અને ધર્મનીતિની દિશાઓ અલગ-અલગ હોય છે. આ દિશાભેદને આધારે સાબિત થાય છે કે રાજ્ય- વ્યવસ્થા ધર્મદ્વારા સંચાલિત કે શાસિત ન હોઈ શકે.
શું ધર્મવિહીન રાજનીતિ અને રાજ્યવ્યવસ્થા ખતરનાક ન કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર વિભજ્યવાદના આધારે જ આપી શકાય. સામ્પ્રદાયિક કટ્ટરતાવાળા ધર્મથી વિહીન રાજનીતિ અને રાજ્યવ્યવસ્થા ખતરનાક નથી હોતી. એવી રાજનીતિ ખતરનાક હોય છે, જે સત્ય અહિંસા, પ્રામાણિકતા રૂપી ચારિત્ર્ય ધર્મથી પ્રભાવિત ન હોય.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org