________________
ઘર્મના દશપ્રકાર છે ભગવાન મહાવીરે ધર્મના દસ પ્રકાર બતાવ્યા છે ? (૧) ગ્રામ્યધર્મ - ગ્રામ્ય વ્યવસ્થાની આચારસંહિતા. (૨) નગરધર્મ - નગરપાલિકાની આચારસંહિતા. (૩) ગણધર્મ - ગણરાજ્યની આચારસંહિતા. (૪) રાષ્ટ્રધર્મ - રાષ્ટ્રની આચારસંહિતા. (૫) કુલધર્મ - કુળની આચારસંહિતા. (૬) સંઘધર્મ - સંઘ-ગણસમૂહની આચારસંહિતા.
(૭) પાષડ ધર્મ - વિવિધ સંપ્રદાયો દ્વારા સમ્મત-સ્વીકૃત આચાર વ્યવસ્થા.
(૮) અને (૯) શ્રતધર્મ અને ચારિત્ર્યધર્મ - મોક્ષના સાધક, આત્મઉત્થાનનાં હેતુભૂત તત્ત્વ.
(૧૦) અસ્તિકાયધર્મ – પંચાસ્તિકાયનો સ્વભાવ.
ઉપરના દશ ધર્મોમાં મૃતધર્મ અને ચારિત્ર્ય ધર્મ- બને આધ્યાત્મિક ધર્મ છે. ગ્રામ્યધર્મ, નગરધર્મ વગેરે વ્યવસ્થાત્મક ધમ છે. ગ્રામ્યધર્મ અને નગરધર્મ આદિનો પ્રત્યક્ષ સંબંધ ગામ-નગરની વ્યવસ્થા સાથે છે, પરોક્ષ સંબંધ આધ્યાત્મિક ધર્મ સાથે છે. આધ્યાત્મિક ધર્મથી વ્યવસ્થાનું સંચાલન નથી થતું, વ્યવસ્થાનું વિશોધન થાય છે. તે સમાજવ્યવસ્થા સારી હોય છે, જેનું સંચાલન સમાન ધર્મ અથવા સમાજની આચારસંહિતા વડે થાય છે. તે રાજ્ય-વ્યવસ્થા સારી હોય છે, જેનું સંચાલન રાજ્યધર્મ અથવા રાજ્યની આચાર-સંહિતા વડે થાય છે.
૨. ધર્મનિરપેક્ષ
હિંદુસ્તાન લોકતાંત્રિક દેશ છે. સંવિધાનમાં તેને “સેક્યુલર સ્ટેટ' માન્યો છે. આનો અનુવાદ “ધર્મનિરપેક્ષ રાજ્ય’ એમ કરવામાં આવ્યો છે. આ ધર્મ-નિરપેક્ષ શબ્દ લોકોના મનમાં, જૂની પેઢીના મનમાં વિદ્રોહની એક ભાવના પેદા કરી અને નવી પેઢીના મનમાં ભ્રાન્તિને જન્મ આપ્યો. લોકતંત્રમાં રાજ્યનું શાસન કોઈ વિશેષ સંપ્રદાયના હાથમાં ન હોઈ શકે. તે સંપ્રદાયાતીત અથવા બિનસામ્પ્રદાયિક હોય છે. આવી ઉદાત્ત ભાવનાને “ધર્મ-નિરપેક્ષ' શબ્દ અભિવ્યક્તિ ન આપી શક્યો, તેથી ભ્રાંતિ પેદા થઈ ગઈ. ગણાધિપતિ શ્રી તુલસીએ તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. શ્રી રાજીવ ગાંધીને ધર્મનિરપેક્ષ શબ્દ બદલવાની વાત કરેલી અને સલાહ આપેલી, “ધર્મનિરપેક્ષ શબ્દને બદલે બિનસાંપ્રદાયિક અથવા પંથનિરપેક્ષ શબ્દનો ઉપયોગ થવો જોઈએ.” હમણાં જે સંવિધાનનો હિન્દી
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org