________________
ક્ષયીકરણના ઉમૂલનની વાત કહી શકાય છે, પરંતુ દરેક સામાન્ય માનવીને, સામાજિક માનવીને માટે આ સૂત્ર હોઈ શકે છે કે વાસનાનું રૂપાંતરણ થઈ શકે છે,
સ્વસ્થ વ્યક્તિત્વ
જો સમાજમાં વાસનાના રૂપાંતરણની વાત વ્યાપક બની રહે, તો સમાજનો આખો રૂઆબ બદલાઈ જાય. આકૃતિ અને કૃતિ- બંને બદલાઇ શકે છે. આજે સહુથી મોટી આવશ્યકતા છે : વાસનાના રૂપાંતરણની. આ વ્યક્તિત્વનું રૂપાંતરણ છે અને એનાથી વ્યક્તિ અને સમાજનો સમન્વય સાધી શકાય છે. વ્યક્તિ અને સમાજ બંને અલગ અલગ પડેલાં છે. છતાંયે વ્યક્તિમાં વ્યક્તિગત અને સામુદાયિક બંને અંશો રહેલ છે, પરંતુ આજકાલ વ્યક્તિગત ચેતના અધિક પ્રચલિત છે. જ્યાં સુખ-સુવિધાની લાલચ છે, ત્યાં સામાજિકતા કે સામુદાયિકતા ક્યાં છે ? અરે, આજે વ્યક્તિગતતાને જગાડવાનો પ્રયત્ન પણ ક્યાં છે ? જ્યાં સુધી વ્યક્તિનું સમ્યકં નિમણિ શક્ય નહીં થાય, ત્યાં સુધી વ્યક્તિનું - સમાજનું સાચું નિમણિ શક્ય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બનેલી ઘટનાઓએ આ સત્યને વધારે મજબૂત બનાવ્યું છે. જે લોકો અગ્રણી બન્યા, સમાજવાદ કે સમાજવાદના મુખી બન્યા, સામ્યવાદની ચળવળના સૂત્રધાર બન્યા, તેમનું જીવન જોઈને લોકો ચોકી ઊઠ્યા. આજે પણ એક વિશાળ સામ્યવાદી દેશમાં લોકતંત્રની હવા ચાલી છે. એનું કારણ એ છે ઃ સત્તા પર જે બેઠેલા છે, તેઓ સુખ ભોગવી રહ્યા છે, વિલાસ અને ઐશ્વર્યમાં ડૂબેલા રહે છે અને , સામાન્ય જનતા ત્રાસ ભોગવી રહી હોય છે. જો વ્યક્તિગત રીતે, સ્વસ્થ વ્યક્તિત્વનું નિર્માણ થયું હોત, તો આ પરિસ્થિતિ ક્યારેય ન સર્જાત. જ્યાં સ્વસ્થ વ્યક્તિત્વનું નિર્માણ નથી થતું, અને પ્રચુર સાધન, સત્તા અને સામગ્રી આવી જાય છે, ત્યાં કોણ અવિચળ રહેશે, તે કહી શકાતું નથી.
વાસનાના દાસ ન બનીએ
આજે સમાજનું ધ્યાન સહુથી વધારે એ વાત પર કેન્દ્રિત થવું જરૂરી છે કે, વ્યક્તિત્વનું નિર્માણ પહેલાં થાય. સમાજનો જે મુખી બને, તે વ્યક્તિ એવી હોય, જેણે પોતાની વાસના પર નિયંત્રણ કરવાનું શીખી લીધું હોય. વ્યક્તિ વાસનાની દાસ ન બને, વાસના પાછળ બુદ્ધિને ન ચલાવે, પરંતુ બુદ્ધિ દ્વારા વાસના પર નિયંત્રણ કરે. મહાવીરનું આ સૂત્ર ખૂબ માર્મિક છે :
પ્પા રેવ મેધવ્યો, અપ ટુ હતુ કુમો -સહુથી વધારે મુશ્કેલ છે પોતાના આત્માને જીતવો, પોતાની વાસનાને જીતવી. પોતાની વાસનાને જીતો,
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org