________________
શ્રમ અને સ્વાવલંબન
સમાજ સાપેક્ષતાનું દર્શન અને પ્રયોગ છે તેથી પ્રત્યેક વાત સાપેક્ષ છે, શ્રમ અને સ્વાવલંબન પણ સાપેક્ષ છે. વ્યક્તિ માટે આવશ્યક છે કે વ્યક્તિ પોતે જ પોતાનો આધાર બને. અન્ય વ્યક્તિ પર આધારિત ન રહે. આ મુખ્ય વાત છે, પરંતુ બીજી વ્યક્તિનો સહારો અનિચ્છનીય અને ખોટો નથી ગણાયો. આ એક સામાજિક વિધા છે. ભગવાન મહાવીરે આ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જો તમે બીજાનો સહારો લો છો, અન્યનો શ્રમ લો છો, તો તેની સાથે ન્યાય કરો, તેનું શોષણ ન કરશો.
જ્યાં શોષણ ત્યાં સમસ્યા
જીવનશૈલીનું એક સૂત્ર છે : શોષણ ન કરો. શોષણ-મુક્ત રહેવું ધર્મનો મોટો આચાર છે. કોઈ પણ માત્રામાં, કોઈ પણ દૃષ્ટિકોણથી જેનો જેટલો શ્રમ છે, તેનો અસ્વીકાર ન કરીએ, એનું શોષણ ન કરીએ. “શ્રમ' શબ્દ સાપેક્ષ છે. એનો અર્થ એ છે કે પોતાનો શ્રમ સ્વયં- પોતે જ કરીએ અને બીજા પાસે કામ લઈએ તો તેનું શોષણ ન કરીએ. માનવીની એ વૃત્તિ હોય છે, તેને કામ વધારે કરાવવું ગમે છે અને વેતન ઓછું આપવું ગમે છે. આની પ્રતિક્રિયા સ્વરૂપે એવી સ્થિતિ સર્જાઈ કે કામ કરનારા કામ વધારે નથી કરતા ને મહેનતાણું વધારે મેળવવાનું ઇચ્છે છે. પ્રશ્ન બંને બાજુ ગૂંચવાયો. જેટલું કામ તેટલાં દામ -આ પ્રકારની વ્યવસ્થા હોત તો પ્રશ્ન ક્યારેય ન ગૂંચવાત. આજે સામાજિક દષ્ટિએ એ માનવામાં આવે છે કે ? કોઈની પાસે કામ કરાવવું હોય, તો તેને પૂરતું મહેનતાણું આપો. દીર્ઘકાલીન દષ્ટિથી વિચારીએ, તો “ઓછું આપવું લાભદાયક નથી, નીતિ બહુ સ્પષ્ટ છે. પરંતુ માનવી લોભવશ બીજાનું શોષણ કરે છે. જ્યાં શોષણ હોય છે, ત્યાં સમસ્યા પેદા થયા વગર નથી રહેતી.
અનોખો સમાજ
વીસમી સદીનો બહુચર્ચિત શબ્દ છે : “શોષણ.” આજકાલ શોષણમુક્ત સમાજરચનાની વાત બહુ જ પ્રિય લાગે છે, ગમે છે. મોટે ભાગે જોઈએ છીએ કે, સામાન્ય પરિવારમાં જે વ્યક્તિ જન્મ લે છે, તે પરિશ્રમી
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org