SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજ અને જીવન-મૂલ્ય આજનો વિદ્યાર્થી “મૂલ્ય આધારિત શિક્ષણ' શબ્દથી અપરિચિત નહીં હોય. એનાથી અગાઉ બુનિયાદી-તાલીમ’ શબ્દ બહુ પ્રચલિત હતો. આજે મૂલ્ય આધારિત શિક્ષણ શબ્દ પ્રચલિત છે અને એટલા માટે પ્રચલિત છે કે, સમાજમાં મૂલ્યોનું ખૂબ મહત્ત્વ છે. જે સમાજમાં ઉચ્ચ મૂલ્યો હાજર હોય છે, તે સમાજ જ ઉન્નત હોય છે. આમ મૂલ્યો પર આધારિત સમાજનો માપદંડ માન્ય રખાય છે. જે સમાજમાં મૂલ્યોની પડતી જોવા મળે છે, તે સમાજને નીચો સમાજ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં માપદંડ હતો ચારિત્ર્ય અને આજે માપદંડ બની ગયો છેઃ મૂલ્ય. મૂલ્યશાસ્ત્ર પાશ્ચાત્ય જગતમાં આ મૂલ્ય-શાસ્ત્રનો પૂર્ણ વિકાસ થયેલો છે. મૂલ્યની વ્યાખ્યા બે દષ્ટિકોણથી વિચારાઈ છે. એક છે ? અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણ અને બીજો છે નીતિશાસ્ત્રીય દષ્ટિકોણ. અર્થશાસ્ત્રીય દષ્ટિકોણથી જોતાં મૂલ્ય પરિમાણાત્મક હોય છે, જ્યારે નીતિશાસ્ત્રીય દષ્ટિકોણે તે ગુણાત્મક હોય છે. રૂપિયા-પૈસા, ધન-ધાન્ય,આ પરિમાણાત્મક મૂલ્ય છે. એનો અર્થ એ કે જેનાથી વ્યવહાર ચાલે છે, વિનિમય અને લેવડ-દેવડ થાય છે, તે અર્થશાસ્ત્રીય દષ્ટિએ મૂલ્ય કહેવાય છે. નીતિશાસ્ત્રીય દષ્ટિએ મૂલ્ય એ છે, જે જીવનવિકાસ અથવા આત્મસાક્ષાત્કારમાં સહાયક બને છે. આ ગુણાત્મક મૂલ્ય છે. આપણે અર્થશાસ્ત્રીય મૂલ્યોથી પરિચિત છીએ જ, પરંતુ પૂર્ણ-પરિચિત નથી જ. આપણે સદ્ગુણ, સદાચાર અને સચ્ચરિત્ર- આ શબ્દોથી પરિચિત થવાનું છીએ, પરંતુ આજે તેમના માટે જે ભાષા છે તેનાથી પરિચિત છે. આજે ઉચ્ચ ક્ષેત્રોમાં, વિદ્યાનાં વિશિષ્ટ ક્ષેત્રોમાં ગુણ અને ચારિત્ર્યનો શબ્દપ્રયોગ ખૂબ ઓછો થાય છે, મૂલ્ય શબ્દનો પ્રયોગ વધારે થવા લાગ્યો છે. મૂલ્યનો આધાર મૂલ્યને બે ભાગમાં વહેંચી દેવાયું (૧) બાહ્ય મૂલ્ય તથા (૨) લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy