________________
સંયમની યાત્રામાં આગળ વધતું હોય, તો તે તેનો સહયોગ કરે છે. પણ જો તે સંયમમાં બાધક બને, તો તેની સાથે અસહયોગ પણ કરો. શરીરને પોષણ આપવાનું બન્ધ કરી દો. ઉણોદરી, ઉપવાસ જેવી તપસ્યા કરો. તપના પ્રયોગ સાથે અસહયોગનો પ્રયોગ સંકળાયેલ છે. શરીરને એટલો સહયોગ ન કરીએ, જેથી સંયમમાં તે બાધક બને. બૂરાઈની સાથે અસહયોગ કરવો સમાજ-વ્યવસ્થાનો મુખ્ય નિયમ છે. જેવી રીતે દહેજ માટે એક માનવી એક યુવતીને જીવતી સળગાવી દે છે, એવા નિર્દય માનવી સાથે સમાજે અસહયોગ જ કરાય, બીજું કંઈ નહિ. તેનાં વિવાહ લગ્ન જેવા પ્રસંગોનો બહિષ્કાર કરીને અહસયોગ કરી શકાય છે. મૃત્યુદંડ, આજીવન કેદ, વગેરે સજાની જોગવાઈ બૂરાઈના પ્રતિકાર અને અ-સહયોગ માટે જ છે.
સહાનુભૂતિઃ અસહાનુભૂતિ
સમાજ-વ્યવસ્થાનું ચોથું સૂત્ર છે : સહાનુભૂતિ. સમાજમાં સહાનુભૂતિનો ઘણો વિકાસ થયેલો છે. કોઈ એક વ્યક્તિને દર્દ થવા માંડે, તો સો માણસો દર્દી બની જાય છે, સહાનુભૂતિ વ્યક્ત કરવા આવે છે. વ્યક્તિ અવસાન પામે છે ત્યારે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે સેંકડો માણસો હાજર થઈ જાય છે. બીજી વ્યક્તિની સહાનુભૂતિથી દુઃખી માનવીનાં દુઃખદર્દ ઓછાં થઈ જાય છે. એને લાગે છે કે એનું દુઃખદર્દ ફક્ત એનું પોતાનું જ નથી, સમાજ પણ તેમાં સાથે સંલગ્ન છે. એક બાજુ સહાનુભૂતિની ચેતના વિકસિત બને છે, તો બીજી બાજુ અસહાનુભૂતિની ચેતના પણ વિકસિત થાય છે. તે વ્યક્તિ જે ખોટાં અને અનૈતિક કાર્યોમાં રત છે, તે સમાજની સહાનુભૂતિ ખોઈ બેસે છે.
સહિષ્ણુતાઃ અસહિષ્ણુતા
સમાજવ્યવસ્થાનું પાંચમું આધારસૂત્ર છે : સહિષ્ણુતા. સમાજમાં અનેક પ્રકારના લોકો વસે છે અને દરેકની પસંદગી અને રુચિ અલગ-અલગ હોય છે. સમાજ ધરતી સમાન છે, જે બધાંને સહન કરે છે, પરંતુ સમાજ કેવળ સહિષ્ણુતાના આધારે નથી ચાલતો. આ એક પ્રાકૃતિક નિયમ છે કે વીજળી ત્યારે જ સળગે જ્યારે ધન અને ઋણ (વિદ્યુતના) પ્રવાહો ભેગા મળે. અનેકાંતનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેમાં સહિષ્ણુતા પણ છે અને અસહિષ્ણુતા પણ છે. નેગેટિવ અને પૉઝિટિવ વિદ્યુતપ્રવાહનો યોગ છે. મોટાભાગના લોકો એવી ભાષામાં બોલે છે કે સહન કરવાની એક હદ હોય, હવે હું સહન નહીં કરું. આ અસહિષ્ણુતાનો ભાવ પણ સમાજવ્યસ્થાનું મહત્ત્વનું અંગ છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org